વડોદરામાં ભરશિયાળે પાણીની સમસ્યા સર્જાઈ, ગોરવામાં પાઈપલાઈનની કામગીરી શરૂ

B INDIA વડોદરા : વડોદરામાં આજે હજારો લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, મ્યુ.કોર્પોરેશન દ્વારા ગોરવામાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. તેને લઈ આજે સ્થાનિકોને પાણીને લઈ સમસ્યા ઉભી થશે. કોર્પોરેશન દ્વારા સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જેને લઈને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, પાણીની પાઈપલાઈનને લઈ કામગીરી શરૂ કરાઈ છે જેમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી પાણીની હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. અને તેને લઈ સ્થાનિકોને પાણી માટે એક દિવસ વલખા મારવા પડશે. તેમજ નાગરિકો કોર્પોરેશનને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે પણ સ્થાનિકોને ઓછા પ્રેશરથી પાણીનો પુરવઠો વિતરણ થશે.

-> આ વિસ્તારોમાં નહીં મળે પાણી :- ગોરવા પાણીની ટાંકી ખાતેથી આજે સાંજના સમયે વિતરણ થતાં ઝોન (1) બપોરે 04થી 05 ગોરવા ગામ, ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર, ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી, આંગણ ડુપ્લેક્ષ વિસ્તાર, સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ. પાસે તરફનો વિસ્તાર, (2) સાંજે 06થી 07 ગોરખનાથ મહાદેવ મંદિરથી નવાયાર્ડ બ્રીજ તરફનો સમગ્ર વિસ્તાર, બાપુની દરગાહની પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર, આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફનો સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *