રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે જાહેર, આજે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

B INDIA અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી સંભાવના છે. આજે 69 નગરપાલિકામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ સાથે જ 2 જિલ્લા પંચાયત અને એક મનપામાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે.

આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં 69 નગર પાલિકા સાથે 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણીઓ થઇ શકી નથી. જેની આજે જાહેરાત થઈ શકે છે. આ સાથે જૂનાગઢ મનપાની ચૂંટણી પણ જાહેર થવાની સંભાવના છે.

મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે સૌની નજર આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ પર રહેશે.

Related Posts

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર…

Ahmedabad Cyber Fraud: OTP, પાસવર્ડ કે લિંક શેર કર્યા વગર યુવતીના ખાતામાંથી 19 ટ્રાન્ઝેક્શનમાં ₹8 લાખ ઉપડી ગયા

| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધુ જટિલ અને ચિંતાજનક સ્વરૂપ લેતા જોવા મળે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ Bopal…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *