રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે જાહેર, આજે સાંજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

B INDIA અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં ચૂંટણીની તારીખોનું એલાન કરે તેવી સંભાવના છે. આજે 69 નગરપાલિકામાં ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ સાથે જ 2 જિલ્લા પંચાયત અને એક મનપામાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે.

આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં 69 નગર પાલિકા સાથે 2 જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત ચૂંટણીઓ થઇ શકી નથી. જેની આજે જાહેરાત થઈ શકે છે. આ સાથે જૂનાગઢ મનપાની ચૂંટણી પણ જાહેર થવાની સંભાવના છે.

મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થાય તેવી શક્યતા છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે સૌની નજર આજે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સ પર રહેશે.

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *