રાજયમાં પવન સાથે ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

B INDIA અમદાવાદ : રાજયમાં 4-5 દિવસનાં રાહત બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે, સાથે સાથે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે.જેમાં નલિયામાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે,રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જેના કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

-> કયાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 12.1 ડિગ્રી, કેશોદમાં 12.4 ડિગ્રી,ભુજમાં 13.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.8 ડિગ્રી,કંડલા અને ડીસામાં 13.9 ડિગ્રી,અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.7 ડિગ્રી,મહુવામાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે.

અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.મળતી માહિતી મુજબ, આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે. જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે. અને પવનો પણ ફૂંકાશે. પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.

Related Posts

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *