રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે.

-> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે.

-> રાજકોટમાં મચ્છરનો ત્રાસ ! :- શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. જેને કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ હોસ્પિટલમાં દર્દીઓને લાઈનો જોવા મળી રહી છે.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *