રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું, તાવ કારણે 8 માસના બાળકનું મોત

રાજયમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. અને તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. મળતી મહિતી મુજબ વૈશાલીનગરમાં રહેતા બાળકનું મોત થયું છે. જેમાં બાળકની તબિયત ખરાબ થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. અને વૈશાલીનગર વિસ્તારમાં તપાસ હાથધરી છે.

-> તાવથી 8 માસનાં બાળકનું મોત :- વૈશાલીનગર વિસ્તારમાં તાવથી 8 માસના બાળકનું મોત થયું છે. બાળકને તાવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. અને તેનું મોત થયું છે. તો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગની ટીમે વૈશાલીનગરમાં અલગ-અલગ ઘરોમાં સ્વાસ્થયને લઈ તપાસ પણ કરી છે.

-> રાજકોટમાં મચ્છરનો ત્રાસ ! :- શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે. જેને કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે હાલ હોસ્પિટલમાં દર્દીઓને લાઈનો જોવા મળી રહી છે.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *