રાઉસ એવન્યુ કોર્ટે આજે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન દ્વારા ભાજપના સાંસદ સામે દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કરી દીધો, અને તેમની ફરીયાદ ફગાવી દીધી હતી.. સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમના વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા
-> બાંસુરી સ્વરાજે શું કહ્યું? :- આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે તેમના પરિસરમાં EDની તપાસ દરમિયાન 3 કરોડ રૂપિયા રોકડા અને 1.8 કિલો વજનના 133 સોનાના સિક્કા મળી આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સાંસદે તેમને ભ્રષ્ટ અને છેતરપિંડી કરનાર કહીને બદનામ કર્યા છે. આપ નેતા સત્યેન્દ્ર જૈને દાવો કર્યો હતો કે ભાજપના નેતા બાંસુરી સ્વરાજે તેમને બદનામ કરવા માટે આ ટિપ્પણી કરી હતી.
સત્યેન્દ્ર જૈને આરોપ લગાવ્યો હતો કે બાંસુરી સ્વરાજે 5 ઓક્ટોબર, 2023 ના રોજ એક ટીવી ચેનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેને લાખો લોકોએ જોઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સાંસદે રાજકીય લાભ માટે આ કર્યું હતું. અગાઉ, 16 ડિસેમ્બર, 2024 ના રોજ, કોર્ટે ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ અને ન્યૂઝ ચેનલને પ્રી-સમન નોટિસ જારી કરી હતી અને તેમનો જવાબ માંગ્યો હતો.
-> કોર્ટની ટિપ્પણીના આધારે નિવેદનો આપવામાં આવ્યા છે :- ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજના વકીલે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ કોર્ટને જણાવ્યું હતું કે આ ફરિયાદ રાજકીય રીતે પ્રેરિત છે અને ફરિયાદી (સત્યેન્દ્ર જૈન) તેનો ઉપયોગ રાજકારણ માટે કરી રહ્યા છે. આ કેસમાં સત્યેન્દ્ર જૈન કસ્ટડીમાં હતા. તેમણે કહ્યું કે આ નિવેદનો જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ સામગ્રી અને કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના આધારે આપવામાં આવ્યા હતા.








