બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ગર્જ્યું છે. દ્વારકામાં 4 દિવસની અંદર ડિમોલેશન કામગીરી દરમ્યાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા.7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા. ચાર દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 471,516,000 થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ બોલાવવામાં આવી છે.
-> કરોડોની જમીન પર દબાણો દૂર કરાયા :- બેટ દ્વારકા – ઓખામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. રાજકોટ રેન્જ IG અશોક યાદવએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, મેગા ડિમોલેશનમાં 50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. રહેણાંક વિસ્તાર બાદ ટાપુઓ પર ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ટાપુઓ પરથી તમામ દબાણો હટાવવામાં આવ્યા હતા.
પીરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા. જેટી, લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઇશું. જરુર જણાશે ત્યાં કાર્યવાહી કરાશે. દ્વારકા – જામનગરમાં કુલ 35 ટાપુ આવેલા છે. હાલમાં દ્વારકાના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરાયા. 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા છે. ગુજરાતના દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોવાથી વધુ સંવેદનશીલ છે. આ વિસ્તારથી પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બને છે.





