દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનો સમય બદલાયો, આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે. પહેલા તેનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૩.૩૦ વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવામાં આવશે.

-> AAPનો કટાક્ષ :- તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાતમાં વિલંબ થવા બદલ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર કટાક્ષ કર્યો છે. આપના દિલ્હી રાજ્ય સંયોજક ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે લગ્નનું સરઘસ તૈયાર છે, મંડપ પણ તૈયાર છે, પરંતુ ભાજપ હજુ પણ નક્કી કરી શકી નથી કે વરરાજા કોણ હશે.

તેમણે કહ્યું, “ભાજપ બધું જ કરી રહ્યું છે પણ હજુ સુધી મુખ્યમંત્રી અંગે નિર્ણય લીધો નથી. અત્યાર સુધી ભાજપે પોતાના ધારાસભ્ય દળની એક પણ બેઠક યોજી નથી. આ ભાજપ છે અને આગામી પાંચ વર્ષમાં આવા વધુ રેકોર્ડ બનાવશે. ભાજપ પોતાના આંતરિક વિખવાદોને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. ભાજપે દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા કરવા જોઈએ.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *