ગુજરાતમાં શિયાળો લેશે વિદાય, આગામી દિવસમાં ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં ફરી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં શિયાળો ધીરે-ધીરે વિદાય લેશે અને ઉનાળાની શરૂઆત થશે. રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે. સાથે સાથે લઘુતમ તાપમાન 5 થી 7 ડિગ્રી વધ્યું છે.નલિયામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બીજી તરફ મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે.

-> કયાં કેટલું તાપમાન નોંધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 21.2 ડિગ્રી,ગાંધીનગર 19.2 ડિગ્રી,ડીસા 18.3 ડિગ્રી,પાલનપુર 18.5 ડિગ્રી,વડોદરા 21.6 ડિગ્રી,કંડલા 23.3 ડિગ્રી,સુરત 20.6 ડિગ્રી,અમરેલી 20.7 ડિગ્રી,ભાવનગર 22.1 ડિગ્રી,રાજકોટ 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

-> એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધ્યું :- પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે.

વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *