ઝાકિર હુસૈનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં : અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. 15 ડિસેમ્બરે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ઝાકિર 73 વર્ષના હતા. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ફેફસાં સંબંધિત ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ રોગને કારણે થયું હતું. જાણીતા તબલાવાદકના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. અમિતાભ બચ્ચન, કરીના કપૂર, મલાઈકા અરોરા, રણવીર સિંહ સહિત ઘણા સ્ટાર્સે તેમને નમ્ર શ્રદ્ધાંજલિ આપી છે.ઝાકિર હુસૈનના નિધન પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું – ખૂબ જ દુઃખદ દિવસ. તેણે પોતાના બ્લોગમાં લખ્યું- “એક પ્રતિભા.. એક અજોડ ઉસ્તાદ.. એક અપુરતી ખોટ.. ઝાકિર હુસૈન આપણને છોડીને ચાલ્યા ગયા છે.

અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં તેના પિતા રણધીર કપૂર ઝાકિર ખાન સાથે હાથ મિલાવતા જોવા મળે છે. તેણે કેપ્શનમાં તબલા વાદક માટે ‘Maestro Forever’ લખ્યું છે.
અભિનેતા રણવીર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર ઝાકિર હુસૈનની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર હેશટેગ સાથે શેર કરી છે – ઉસ્તાદ ઝાકિર ખાન, ઉસ્તાદ.

 

અભિનેતા અક્ષય કુમારે X પર લખ્યું- ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહબના દુઃખદ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તે ખરેખર આપણા દેશના સંગીતના વારસાનો ખજાનો હતો. ઓમ શાંતિ.

તબલા વાદકના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા રિતેશ દેશમુખે તેમના પર લખ્યું સાહેબ, તમારું સંગીત એક ભેટ જેવું હતું, એક ખજાનો જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. તમારો વારસો જીવંત રહેશે. તારો આત્મા તાલ અને ધૂનથી ઘેરાયેલો શાશ્વત કીર્તિમાં છવાયેલો રહે. મહાન ઝાકિર હુસૈન સાહેબના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *