ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં ફરી બેવડી ઋતુની અસર યથાવત જોવા મળી રહી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજયના મોટા ભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સર્ક્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અને મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,કેશોદમાં 13.4 ડિગ્રી, ડીસામાં 15 ડિગ્રી,અમદાવાદમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 14.1 ડિગ્રી,અમરેલીમાં 14.5 ડિગ્રી, પાલનપુરમાં 15.2 ડિગ્રી,રાજકોટમાં 16 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી,ભાવનગરમાં 17.2 ડિગ્રી, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી પરંતુ હવે વરસાદનું સંકટ ટળ્યું છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ નબળી પડી છે જેના કારણે વરસાદ પડવાની શકયતા નહિવત છે.અગાઉ માવઠું થવાની આગાહી અપાઈ હતી. 2 ફેબ્રુઆરીએ અમરેલી,ભાવનગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જયારે 3 ફેબ્રુઆરીએ અરવલ્લી,અમરેલી, ભાવનગર,મહીસાગર, દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી.

Related Posts

Engineering Marvel On Tapi River 2026: સિંચાઈથી લઈને વીજ ઉત્પાદન સુધી Dynamic Progress

River ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. જાણો ઉકાઈ ડેમનો ઇતિહાસ, જળસંગ્રહ ક્ષમતા, સિંચાઈ વિસ્તાર, વીજ ઉત્પાદન અને પીવાના પાણીમાં તેનું મહત્વ. ગુજરાતની સ્થાપના પહેલાંથી જ રાજ્યના જળસંચય અને સિંચાઈ વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અંગે આયોજન શરૂ થઈ ગયું હતું. વર્ષ 1949થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો. આજે દાયકાઓ બાદ પણ ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના દક્ષિણ ગુજરાત માટે માત્ર એક જળાશય કે ડેમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સિંચાઈ, વીજ ઉત્પાદન, પીવાના પાણી, ઔદ્યોગિક જળ પુરવઠો અને પૂર નિયંત્રણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામ પાસે આવેલી આ યોજના રાજ્યની જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ખાસ કરીને સુરત,…

A4નિયમ: જિલ્લા અદાલતોમાં આજથી મોટા ફેરફાર : લીગલ સાઈઝ ને બદલે હવે A4 પેપરનો ઉપયોગ ફરજિયાત!

B india અમદાવાદ : ગુજરાતના જિલ્લા ન્યાયતંત્રમાં આજથી એટલે કે 10 ઓગસ્ટ, 2026થી A4 સાઈઝના પેપરનો નવો નિયમ અમલમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે A4 પેપર ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને રાજ્યભરના વકીલોમાં ચર્ચા અને વિરોધ જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરના સુધારેલા પરિપત્ર બાદ પણ A4 પેપરની મૂળભૂત જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના સુધારેલા પરિપત્ર મુજબ જિલ્લા અદાલતોમાં વિવિધ પ્રકારના કોર્ટ દસ્તાવેજો હવે નિર્ધારિત ફોર્મેટ મુજબ રજૂ કરવાના રહેશે. તેમાં પિટિશન, અપીલના મેમોરેન્ડમ, અરજીઓ, પ્લીડિંગ્સ, કોર્ટના ઓર્ડર અને જજમેન્ટ સહિતના મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દસ્તાવેજોના કદ, પ્રિન્ટિંગ અને રજૂઆતમાં એકરૂપતા લાવવાનો હોવાનું માનવામાં આવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *