ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડાતી ઠંડીની આગાહી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?

B INDIA અમદાવાદ :- ગુજરાતમાં કડકડાતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ફરી રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં ઠંડીનો ચમકારો હજી પણ આગળના દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.નલિયામાં ગત રાત્રે 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાની વાત સામે આવી છે. જેમાં ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે. તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે.

-> ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું ? :

–> શહેર તાપમાન :

રાજકોટ 7.3 ડિગ્રી
અમદાવાદ 12.1 ડિગ્રી,
ગાંધીનગર 9.2 ડિગ્રી
વડોદરા 11.4 ડિગ્રી
ભાવનગર 12.6 ડિગ્રી,
સુરત 15.5 ડિગ્રી
ડીસા 8.8 ડિગ્રી
કેશોદ 9.1 ડિગ્રી
વેરાવળ 15.8 ડિગ્રી
કંડલા 8.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 10.4 ડિગ્રી
દ્વારકા 13.8 ડિગ્રી
પોરબંદર 12 ડિગ્રી
અમરેલી 11.7 ડિગ્રી
ભુજ 9.2 ડિગ્રી

Gujarat ના હવામાનમાં થયો બદલાવ, વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ - મુંબઈ  સમાચાર

-> પવનની વધશે ગતિ :- ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પવનની ગતિ 5 થી 10 કિમીની ઝડપની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેમજ બે દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત રહેશે. જો કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈ કોઈ આગાહી કરવામાં આવી નથી.

Gujarat Weather: સ્વેટર ધાબળા રાખજો તૈયાર; આ તારીખથી ગુજરાતમાં પડશે કાતિલ  ઠંડી

-> બપોરના સમયે પડી શકે છે ગરમી :- બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સાથે બપોરે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *