ક્રિકેટર સાથે દિલ્હી એરપોર્ટ પર થયું ગેરવર્તન, જાણો શું છે મામલો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માની સાથે દિલ્હી એરપોર્ટ પર ગેરવર્તૂણ થઈ છે.દિલ્હી એરપોર્ટ પર ડાબા હાથના ભારતીય ઓપનર સાથે જે પણ થયું તે તેણે પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. અભિષેક શર્મા ઈન્ડિગો અને તેના સ્ટાફ સાથે આ સમગ્ર ઘટના જોડાયેલી છે. તેણે જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ મેમ્બરના ગેરવર્તણૂકને કારણે તેની ફ્લાઈટ પણ ચુકાઈ ગઈ હતી.અભિષેક પોતાની રજા પર ક્યાંક જઈ રહ્યો હતો અને સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો, પરંતુ ઈન્ડિગોના કર્મચારીઓની બેદરકારીને કારણે અભિષેક તેની ફ્લાઈટ ચૂકી ગયો.

આ પછી તેણે સોશિયલ મીડિયા દ્વારા ઈન્ડિગો અને તેના કર્મચારીઓ પર નિશાન સાધ્યું છે. અભિષેકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘ મને ઈન્ડિગો સાથે દિલ્હી એરપોર્ટ પર સૌથી ખરાબ અનુભવ થયો અને સ્ટાફનું વર્તન, ખાસ કરીને કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું. હું સમયસર યોગ્ય કાઉન્ટર પર પહોંચ્યો, પરંતુ તેઓએ મને બિનજરૂરી રીતે બીજા કાઉન્ટર પર મોકલી દીધો. બાદમાં મને કહેવામાં આવ્યું કે ચેક-ઈન બંધ થઈ ગયું છે, જેના કારણે હું મારી ફ્લાઈટ ચૂકી ગયો.અભિષેકે આગળ લખ્યું, ‘મારી પાસે માત્ર એક દિવસની રજા હતી.

જે હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. સૌથી ખરાબ બાબત એ છે કે તેઓ કોઈ વધુ સહાયતા આપતા નથી. આ અત્યાર સુધીનો સૌથી ખરાબ એરલાઇન અનુભવ છે અને મેં ક્યારેય જોયેલું સૌથી ખરાબ સ્ટાફ મેનેજમેન્ટ છે.અભિષેક શર્માએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવી છે. તે આ સીરિઝમાં સંજુ સેમસનની સાથે ભારતીય ઈનિગ્સની શરુઆત કરી શકે છે. અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારા રન બનાવ્યા છે.

Related Posts

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી…

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *