કોંગ્રેસને વધુ એક ઝટકો, આંકલાવ નગરપાલિકાના અપક્ષ ઉમેદવારે કર્યા કેસરિયા

કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાવમાં હવે ભાજપની સત્તા આવી ગઈ છે. જેમાં અપક્ષના 5 કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કરીને કેસરીયા ધારણ કર્યો છે. મળતી માહિતી મુજબ આંકલાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના મનુભાઈ રાઠોડ, વોર્ડ નંબર 3ના બે કાઉન્સિલર સિતારબાનું સલીમશા અને નારસંગ રાજ, વોર્ડ નંબર 1થી પણ બે કાઉન્સિવર ગીતાબેન ચાવડા અને પ્રવીણભાઈ સોલંકી આણંદના ભાજપ કાર્યાલયમાં ભાજપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આંકલાવ નગરપાલિકામાં 24 માંથી 10 બેઠક ભાજપે જીતી હતી. જ્યારે અન્ય 4 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસ પ્રેરિત એક અને અન્ય 4 અપક્ષોએ કેસરિયો ધારણ કરતા અમિત ચાવડાના મતવિસ્તારમાં ભાજપનું કદ વધ્યું છે.

સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે, આંકલાવ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *