કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર

B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આગ કયા કારણે લાગી હતી.

ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ અંગેની જાણ થતાં મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરવામાં આવશે. જે બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

Related Posts

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક…

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *