કચ્છમાં થયેલા ભેદી બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત, માતા ગંભીર

B INDIA કચ્છ : કચ્છનાં મુન્દ્રામાં આજે વહેલી સવારે એક મકાનમાં ભેદી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીના મોત નીપજ્યાં છે. જ્યારે માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

આ ઘરમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. આ સાથે માતાને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટને કારણે બની આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આમાં એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ આગ કયા કારણે લાગી હતી.

ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ અંગેની જાણ થતાં મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરવામાં આવશે. જે બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવી શકે છે.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *