દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના જીવનમાં પહેલીવાર તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મતદાન કર્યું છે.
મુસ્લિમોએ પણ મોટા પાયે ભાજપને ટેકો આપવાનું શરૂ કર્યું.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના સાજિદ રશીદી કહે છે કે તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપ્યો હતો. આ કોઈ એકલો કિસ્સો નથી, અને જો મુસ્લિમો પણ મોટી સંખ્યામાં ભાજપને ટેકો આપવાનું શરૂ કરે તો કહેવાતા ‘ધર્મનિરપેક્ષ’ પક્ષોએ ચિંતા કરવી જોઈએ.
શું દિલ્હીના મુસ્લિમો ગુસ્સે છે ?
દિલ્હીમાં મુસ્લિમો AAP અથવા કોંગ્રેસની તરફેણમાં રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ પોતે દાવો કરી રહ્યા છે કે તેમણે ભાજપને મત આપ્યો છે. આ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પાછળનું એક કારણ ઇમામોને પગાર ન મળવો હોઈ શકે છે. શું મુસ્લિમોએ ખરેખર ભાજપને મત આપ્યો છે? આ માટે, આપણે 8 ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે, જ્યારે પરિણામો આવશે અને ખબર પડશે કે કોને કેટલા મત મળ્યા.






