આણંદમાં જૂથ અથડામણ મામલે પોલીસની મોટી કાર્યવાહી, 8 લોકોની કરાઈ અટકાયત

B india આણંદ :- આણંદના બોરસદમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે, જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ 8 લોકોની અટકાયત કરી છે. અજીતસિંગ સરદાર, હરબજસિંગ સરદાર સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

-> શું હતી સમગ્ર ઘટના :- આણંદના બોરસદમાં આવેલા નારાયણ નગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢતા માથાકૂટ થઈ હતી. જેમાં 2 જૂથના લોકો સામસામે આવતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક લોકોએ તલવારો સાથે રોફ જમાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી માહોલ તંગ બન્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

Related Posts

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં મોટો ફેરબદલ: એસપી દ્વારા 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં વહીવટી સ્તરે મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) ઓમ પ્રકાશ જાટે એકસાથે 162 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ નિર્ણયને…

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *