આણંદમાં જૂથ અથડામણ મામલે પોલીસની મોટી કાર્યવાહી, 8 લોકોની કરાઈ અટકાયત

B india આણંદ :- આણંદના બોરસદમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે, જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ 8 લોકોની અટકાયત કરી છે. અજીતસિંગ સરદાર, હરબજસિંગ સરદાર સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

-> શું હતી સમગ્ર ઘટના :- આણંદના બોરસદમાં આવેલા નારાયણ નગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢતા માથાકૂટ થઈ હતી. જેમાં 2 જૂથના લોકો સામસામે આવતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક લોકોએ તલવારો સાથે રોફ જમાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતુ. જેથી માહોલ તંગ બન્યો હતો. આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.

Related Posts

અમદાવાદના સાણંદ GIDCમાં ભીષણ આગ, કંપનીમાં મોટું નુકસાન

અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ GIDC વિસ્તારમાં રવિવાર (3 મે)ના રોજ ભીષણ આગની ઘટના સામે આવી છે. Ahmedabad નજીક આવેલા આ ઉદ્યોગ વિસ્તારની વન્ડર ગેટ પાસે સ્થિત IPD નામની ખાનગી કંપનીમાં…

ગુજરાતમાં આકરી ગરમી યથાવત્, India Meteorological Department દ્વારા યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *