આણંદનાં વિકાસ માટે નવું પગલું, વંદે ભારત ટ્રેનનાં સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર

આણંદમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે. આણંદને એ ગ્રેડનુ રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેરમા ટ્રેન નં. 22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા માટે સોજીત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે ગત 8મી ફેબ્રુઆરીના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને રેલવેમંત્રીએ વંદેભારત ટ્રેનને આણંદમા સ્ટોપેજ આપવા માટે લીલીઝંડી આપતા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી માટે અમદાવાદ- વડોદરા સુધીનુ ચક્કર કાપવામાંથી મુક્તિ મળી છે.

આણંદ શહેર તેમજ જિલ્લાના વિકાસ વિસ્તારને ધ્યાને લેતા શહેરના રેલવે સ્ટેશન ઉપર દૈનિક હજારો મુસાફરોની આવનજાવન તેમજ સમયાંતરે વ્યક્તિવિશેષ મહેમાનોની મુલાકાતને લઇને આણંદને તબક્કાવાર મહત્વની ટ્રેનોના સ્ટોપેજ ફાળવાયા છે. ત્યાર અમદાવાદ મુંબઇ વચ્ચે 5 કલાક 25 મિનીટમાં 491 કિમીનુ અંતર કાપતી ટ્રેન નં.22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનમા સ્થાનિક મુસાફરોને અમદાવાદ કે વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેનમા યાત્રા કરવી પડતી હતી.

Related Posts

શું છે આ 1200 કિમી ચાલતી કારનું અસલી રહસ્ય? પેટ્રોલ અને બેટરીની એવી જુગલબંધી જે તમે ક્યારેય નહીં જોઈ હોય!

નવી દિલ્હી / અમદાવાદ: ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યાર સુધી જેની માત્ર ચર્ચાઓ ચાલતી હતી, તે ક્રાંતિની હવે સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની BYD…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *