આણંદનાં વિકાસ માટે નવું પગલું, વંદે ભારત ટ્રેનનાં સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર

આણંદમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજની લીલીઝંડી મળતા મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી છે. આણંદને એ ગ્રેડનુ રેલવે સ્ટેશન બનાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે શહેરમા ટ્રેન નં. 22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા માટે સોજીત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલે ગત 8મી ફેબ્રુઆરીના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિત રજુઆત કરી હતી. જેને ધ્યાને લઇને રેલવેમંત્રીએ વંદેભારત ટ્રેનને આણંદમા સ્ટોપેજ આપવા માટે લીલીઝંડી આપતા મુસાફરોને ટ્રેનમાં મુસાફરી માટે અમદાવાદ- વડોદરા સુધીનુ ચક્કર કાપવામાંથી મુક્તિ મળી છે.

આણંદ શહેર તેમજ જિલ્લાના વિકાસ વિસ્તારને ધ્યાને લેતા શહેરના રેલવે સ્ટેશન ઉપર દૈનિક હજારો મુસાફરોની આવનજાવન તેમજ સમયાંતરે વ્યક્તિવિશેષ મહેમાનોની મુલાકાતને લઇને આણંદને તબક્કાવાર મહત્વની ટ્રેનોના સ્ટોપેજ ફાળવાયા છે. ત્યાર અમદાવાદ મુંબઇ વચ્ચે 5 કલાક 25 મિનીટમાં 491 કિમીનુ અંતર કાપતી ટ્રેન નં.22962 અમદાવાદ-મુંબઇ વંદે ભારત ટ્રેનમા સ્થાનિક મુસાફરોને અમદાવાદ કે વડોદરા રેલવે સ્ટેશનથી ટ્રેનમા યાત્રા કરવી પડતી હતી.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *