વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ‘વિજય દિવસ’ના અવસર પર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાની અદમ્ય હિંમત અને શહીદ થયેલા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે.
મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા નાયકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે. તેમની (બહાદુરીની) વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે.
જ્યારે મોદીએ ‘X’ પર લખ્યું, “આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું.” તેમણે કહ્યું કે તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ નિશ્ચયે દેશને બચાવ્યો. તેમણે કહ્યું, ‘આ દિવસ તેમની અસાધારણ બહાદુરી અને તેમની અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે. તેમનું બલિદાન પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે અને આપણા દેશના ઈતિહાસમાં ઊંડે સુધી જડિત રહેશે.
આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને કારમી હાર આપી હતી અને તેના 93,000 સૈનિકોને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. આ વિજય પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.








