–> આજે મહા સુદ આઠમ આઈ શ્રી ખોડીયાર માતાજી ની જન્મ જયંતી નિમિતે સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર ખાતે આજે વ્યાસ પરીવાર દ્વારા હવન યજ્ઞ કર્યો હતો અને સમસ્ત વ્યાસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે ખોડીયાર માતાજી ના જન્મ દિવસની ઉજવણી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આજે કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર નવું બનાવવા સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા નિર્ણય કરાતા તમામ પરીવારોએ તન મન ધનથી ખાત્રી આપતા આવનાર દિવસોમાં મંદિર બનાવાશે તેમ વ્યાસ પરીવાર દ્વારા જણાવાયું હતું






