અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

અમેરીકાની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમેરિકામા વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર થયાની વિગતો સામે આવી છે. જ્યાં અશ્વેત વ્યક્તિએ ગોળીબાર કરતા પિતા-દીકરીના મોત થયા છે. વર્જિનિયાનામાં મુળ ગુજરાતના મહેસાણાના કનોડા ગામનો પરિવાર હતો જે વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો.

આ પણ વાંચો :- જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે વર્જિનિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

આ ઘટનાના પગલે અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પાપ્ત વિગતો મુજબ હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. જો કે, હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી.આપને જણાવીએ કે, અવાર નવાર ભારતીય સમુદાયના લોકો પર હુમલાની ઘના બનતી હોય છે. થોડા સમય અગાઉ પણ એવી જ ઘટનાઓ સામે આવી છે. ભરૂચના જંબુસરના વતની અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતા યુવકની લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાની ઘટના બની હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *