રાજ્યમાં અસલી ઘીનાં નામે નકલીનો વેપાર! ફૂડ વિભાગે લીધેલા નમૂના થયા ફેલ

B INDIA બનાસકાંઠા : રાજ્યમાં અસલીનાં નામે નકલીનો વેપાર થતો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાંથી બ્રાન્ડેડ ઘીના નમૂના ફેલ ગયા છે. જ્યારે બનાસકાંઠામાં ડુપ્લિકેટ ઘીના ડબ્બા પર જાણીતી બ્રાન્ડનું નામ લગાવીને વેચવામાં આવતા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. ફૂડ વિભાગે ઓક્ટોબરમાં કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી.

ફૂડ વિભાગે ઓક્ટોબર માસમાં ઘીના નમૂના લીધા હતા જે ફેલ જતાં ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અંદાજે 13 લાખનો દાવત બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ જતાં તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સાથે બનાસકાંઠામાંથી પણ શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘી “જલારામ એન્ટરપ્રાઈઝ”ના લેબલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ વેચાતું હોવાનું પણ સામે આવ્યું છે.

શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ડીસા, ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. પાંચ પેઢીમાંથી ઘી, તેલના 14 સેમ્પલ લેવાયા હતા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. જ્યારે ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું છે. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *