અમદાવાદની વિદ્યાર્થિનીનો આપઘાત, કોટામાં NEETની પરીક્ષા માટે કરી રહી હતી તૈયારી

B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. રાજસ્થાનના કોટામાં સવારે અમદાવાદની એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ 24 વર્ષિય કોચિંગ વિદ્યાર્થિની અફશા શેખ કોટાના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા રેસિડેન્સીમાં રહેતી હતી. મૂળ અફશા શેખ ગુજરાતના અમદાવાદની રહેવાસી હતી. તે 6 મહિના પહેલા જ પ્રતિક્ષા નિવાસસ્થાનમાં રહેવા આવી હતી.

આ વિદ્યાર્થિનીએ અગાઉ ઘણી વખત NEETની પરીક્ષા આપી હતી. હાલમાં તે જરૂરી વિષયોમાં સ્વ-અભ્યાસ અને ટ્યુશન કરી રહી હતી. બુધવારે સવારે જ જવાહર નગર પોલીસ સ્ટેશનને તેની આત્મહત્યાની માહિતી મળી. પોલીસ સ્ટેશનના ASI લલિત કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે અને તેમના મૃતદેહને MBS હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, સવારે અમદાવાદની એક વિદ્યાર્થિનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે બપોરે આસામના એક વિદ્યાર્થીએ તેની હોસ્ટેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ બંને ઘટનાઓએ રાજસ્થાનના શૈક્ષણિક શહેર કોટાના લોકોને હચમચાવી દીધા છે. નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસમાં આપઘાતના છ કેસ નોંધાઈ ચૂક્યા છે.

Related Posts

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *