અમદાવાદનાં થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત, સીડી ચડતા આવ્યો હતો હાર્ટ એટેક

B india અમદાવાદ :- અમદાવાદના થલતેજમાં વિદ્યાર્થિનીનું મોત નિપજતા શાળામાં શોકનો માહોલ છવાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સીડી ચડાતા સમયે છાતીમાં દુખાવો થયો હતો.

ઝેબર શાળામાં સીડી પર જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. સંચાલકોના જણાવ્યા અનુસાર શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. પરંતુ આ વિદ્યાર્થિનીની આ પ્રકારની કોઈ મેડિકલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે.

જો કે પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસે શાળાએ પહોંચી હતી. અને સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિની સવારે 7 વાગ્યે રિક્ષામાં ઝેબર શાળામાં પહોંચી હતી. ત્યારે શાળાની સીડી પર ચડવા ગઈ હતી ત્યારે જ દુખાવો થતા તાત્કાલિક તે સીડી પર બેસી ગઈ હતી. તેની જાણ થતા શાળાના શિક્ષકો દ્વારા PCR આપવામાં આવ્યું હતું છતા સારું ન થતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *