‘જિન્નાહ હાઉસ’ ફરી કેમ આવ્યું ચર્ચામાં? 1500 કરોડની પ્રોપર્ટી માટે સરકારનો જાણો શું છે પ્લાન

ભારતના ભાગલાના દોષી પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણા દ્વારા મુંબઈના મલબાર હિલ્સ પર બનાવવામાં આવેલ ભવ્ય બંગલો ‘જિન્નાહ  હાઉસ’ હવે નવા દેખાવમાં જોવા મળશે. વિદેશ મંત્રાલયે તેનો ઉપયોગ ડિપ્લોમેટિક એન્ક્લેવ (વિદેશ મંત્રાલયના અધિકારીઓ માટે રહેઠાણ અને કાર્યસ્થળ) તરીકે કરવાની મંજૂરી આપી છે. હવે તેનું સમારકામ ટૂંક સમયમાં શરૂ થશે. એવું માનવામાં આવે છે કે મુંબઈના ‘જિન્નાહ હાઉસ’નો ઉપયોગ દિલ્હીના હૈદરાબાદ હાઉસની જેમ કરવામાં આવશે. આ ઘરની હાલની કિંમત લગભગ 1500 કરોડ રૂપિયા છે.

‘જિન્નાહ હાઉસ’નું સાચું નામ સાઉથ કોર્ટ છે. ભાગલા પછી તે જિન્નાહ  હાઉસ તરીકે જાણીતું બન્યું. તે પહેલા ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ (ICCR) પાસે હતું. બાદમાં 5 ઓક્ટોબર, 2017 ના રોજ, મલબાર હિલના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખીને ‘જિન્નાહ હાઉસ’ ને સાંસ્કૃતિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવા વિનંતી કરી. સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો કે પીએમઓએ તેમને જિન્ના હાઉસને હૈદરાબાદ હાઉસ જેવું બનાવવા કહ્યું હતું. આ મિલકત ICCR પાસેથી વિદેશ મંત્રાલયને ટ્રાન્સફર કરવા માટે પીએમ પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી, જે હવે મળી ગઈ છે.

 દીના વાડિયાએ મિલકત પર અધિકાર મેળવવા કરી હતી અરજી 
ઝીણાની એકમાત્ર પુત્રી દીના વાડિયાએ 2007માં બોમ્બે હાઈકોર્ટમાં મિલકત પર અધિકાર મેળવવા માટે અરજી દાખલ કરી હતી. તેમના મૃત્યુ પછી, તેમના પુત્ર નુસ્લી વાડિયાને અરજદાર તરીકે જોડાવાની મંજૂરી આપવામાં આવી. જિન્નાહ  હાઉસને ઇવેક્યુઇ પ્રોપર્ટી કહેવામાં આવે છે. છે. આનો અર્થ એ થયો કે તે 1 માર્ચ, 1947 પછી પાકિસ્તાન સ્થળાંતર કરનાર વ્યક્તિની મિલકત છે.

આ પણ વાંચો: વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક

જાણો મિલકતની ખાસ વાતો 
– જિન્નાહ હાઉસની કિંમત 1,1500 કરોડ રૂપિયા છે. તે સમયે તેનું બાંધકામ 2 લાખ રૂપિયામાં થયું હતું.
–   બંગલો ઇટાલિયન શૈલીમાં બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી આરસ પણ લાવવામાં આવ્યો હતો.
– જિન્નાહ હાઉસ ક્લાઉડ બેટલી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના વડા હતા.
–  આ બંગલો અઢી એકરમાં બનેલો છે અને સમુદ્ર કિનારે છે.
– બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક વરંડા, છ રૂમ, એક રસોડું, સ્ટોર રૂમ, ગેરેજ છે. આ ઉપરાંત નોકર માટે પાંચ રૂમ પણ છે. પહેલા માળે આઠ રૂમ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *