કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા યુનિયન બજેટ 2026માં કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 1લી એપ્રિલ 2026થી દેશમાં નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં આવશે, જેના કારણે ખાસ કરીને નાના અને મધ્યમ કરદાતાઓને મોટી રાહત મળશે.
નવા કાયદા હેઠળ કરદાતાઓ હવે નોમિનલ ફી ચૂકવીને ઇન્કમટેક્સ રિટર્ન (ITR) રિવાઇઝ કરી શકશે. અત્યાર સુધી રિટર્નમાં ભૂલ થઈ જાય તો કરદાતાઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બનશે.
બજેટમાં વધુ એક મહત્વની જાહેરાત મુજબ ITR-1 અને ITR-2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી રહેશે. આ નિર્ણયથી પગારધારક અને નાના કરદાતાઓને પૂરતો સમય મળશે અને રિટર્ન ભરવામાં થતી દોડધામ ઘટશે.
નાના કરદાતાઓ માટે ખાસ રાહતરૂપે વન ટાઇમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. જે કરદાતાઓએ અગાઉ વિદેશી સંપત્તિ જાહેર ન કરી હોય, તેઓ હવે એક વખત તક મેળવી શકશે.
સરકારના જણાવ્યા અનુસાર, નવા ઇન્કમટેક્સ કાયદાથી નાના કરદાતાઓની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે અને કર પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.
યુનિયન બજેટ 2026માં કરવામાં આવેલી આ જાહેરાતો કરદાતાઓ માટે મોટી રાહત સાબિત થશે અને કર પ્રણાલીમાં મહત્વનો સુધારો લાવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






