અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ આયાત કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદો પહેલાથી જ અંતિમ સ્વરૂપ લઈ ચુક્યો છે, અને ભારત આ ડીલ કરવા તૈયાર છે. જો કે, ભારત સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી આપેલી નથી.
વેનેઝુએલાનું તેલ: ભારે અને ચીકણું
વેનેઝુએલાના મોટાભાગના તેલ ભંડાર ઓરિનોકો પટ્ટામાં સ્થિત છે. અહીંનું ક્રૂડ તેલ ખૂબ ભારે, ચીકણું અને એસિડિક છે, જેમાં સલ્ફરનું પ્રમાણ વધારે છે. આ તેલની રિફાઇનિંગ માટે વિશેષ સાધનો અને તકનીકી જરૂર પડે છે. વેનેઝુએલાના નિકાસ-ગ્રેડ ક્રૂડને મેરી 16 તરીકે ઓળખવામાં આવે છે, જેના API ગ્રેવિટી 20 જેટલો ઓછો છે. વધુ ભારે તેલ રિફાઇન કરવું મુશ્કેલ છે, અને રિફાઇનિંગ અને પરિવહનમાં વિશેષ ધ્યાન રાખવું પડે છે.
ઈરાનનું તેલ: હળવું અને સરળ
ઈરાનનું તેલ હળવું અને મધ્યમ ગ્રેડનું છે. તે સરળતાથી રિફાઇન કરી શકાય છે અને વિશ્વભરના મોટાભાગના રિફાઇનરીઓ દ્વારા પ્રક્રિયા કરી શકાય છે. મુખ્ય ગ્રેડમાં ઈરાન લાઇટ અને ઈરાન હેવીનો સમાવેશ થાય છે, જેમાં API ગ્રેવિટી આશરે 29–34 છે.
ભારત માટે શું ફાયદો?
ભારતે અગાઉ વેનેઝુએલાથી તેલ આયાત કર્યું છે, પરંતુ યુએસ પ્રતિબંધો પછી વેપારમાં ઘટાડો આવ્યો. વેનેઝુએલાનું તેલ સસ્તું મળતું હોવાથી, ભારતીય રિફાઇનરીઓને દર બેરલ $10–$12 ડિસ્કાઉન્ટ મળી શકે છે. જોકે, તેલનું ભારે અને ચીકણું હોવું રિફાઇનિંગ ખર્ચ વધારે કરે છે અને લોજિસ્ટિક્સ પડકાર ઊભા કરે છે.
વિશ્લેષકો અનુસાર, જો ભારત વેનેઝુએલાના તેલનો ઉપયોગ કરે, તો લાંબા ગાળે સુપ્લાય ડાયવર્સિફિકેશન અને ડિસ્કાઉન્ટનું લાભ મળી શકે છે, પરંતુ પ્રક્રિયા અને લોજિસ્ટિક્સ ખર્ચનું ધ્યાન રાખવું પડશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






