આજે છે 1લી મે: એક હતા બે રાજ્ય થયું આંદોલન અને આ રોતે મેળવ્યો ભરોસો ગુજરાતનો

ગુજરાત આજે 65મો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. 1 મે, 1960ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ કરી નવું રાજ્ય બનાવાયું હતું. ભાષાના આધારે થયેલા પુનર્ગઠન પછી ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારોને એકત્ર કરીને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. અમદાવાદ રાજ્યની પહેલી રાજધાની રહી, ત્યારબાદ 1970માં નવી રાજધાની ગાંધીનગરમાં ખસેડવામાં આવી.

પૌરાણિક અને ઐતિહાસિક ગુજરાત
ગુજરાતનો ઇતિહાસ પૌરાણિક યુગથી જોડાયેલો છે. મહાભારતના યુગમાં શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા નગરીની સ્થાપના, યાજ્ઞવલ્કય ઋષિનો નર્મદા કાંઠે વાસ, અને ગિરનાર-સોમનાથ જેવા પવિત્ર સ્થળો ગુજરાતના આધ્યાત્મિક વારસાને દર્શાવે છે. વૈદિક કાળમાં ગુજરાતને “આનર્ત દેશ” તરીકે ઓળખવામાં આવતું.

સિંઘુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સ્થળો ધોળાવીરા અને લોથલ ગુજરાતના ઐતિહાસિક ગૌરવના જીતી જીવીતા પુરાવા છે. અહીંથી મળેલા અવશેષો અને જળસંગ્રહ વ્યવસ્થાઓ પ્રાચીન ભારતની સંરચનાત્મક સમૃદ્ધિને દર્શાવે છે.

સ્વતંત્ર ભારત અને ગુજરાતની રચના
1947 પછી ભારતને મળેલા રજવાડાઓમાંથી કચ્છ, સૌરાષ્ટ્ર અને મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યા હતા. 1960માં થયેલા મહાગુજરાત આંદોલન અને ભાષાના આધારે પુનર્ગઠન બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બની ગયા. આથી 1 મે, 1960થી ગુજરાતી ભાષા બોલનારા વિસ્તારોને સમાવતાં “ગુજરાત રાજ્ય” અસ્તિત્વમાં આવ્યું.

આજે ગુજરાત: વિકાસ અને વિશ્રામનું સમતોલ મોડલ
વિશ્વ પાટલી પર ગુજરાત આજે વિકાસનું પ્રતિક બની ઊભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, નિકાસ અને નવુંતનતાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.2% ફાળો આપે છે, અને નિકાસ ક્ષેત્રમાં તેનો હિસ્સો 27.4% સુધી પહોંચી ગયો છે.

મુખ્યાં ઉદ્યોગો: પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, સેરામિક્સ, એમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ વગેરેમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

આધુનિક યોજનાઓ: ધોલેરા સ્માર્ટ સિટી, ગિફ્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, વ્હાઈટ રેવિન્યુ પોર્ટ્સ વગેરે રાજ્યના આધુનિકીકરણનું પ્રતિબિંબ છે.

સ્થાપના દિનની ઉજવણી – ગોધરા ખાતે ભવ્ય કાર્યક્રમ
ગુજરાત સ્થાપના દિવસ 2025ની મુખ્ય ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં યોજાઈ રહી છે. લુણાવાડા રોડ પર છબનપુર ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. રોડ-રસ્તાની મરામત, ડીવાઈડરોનું રંગરોગન, શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ, બેન્ડ શો વગેરે દ્વારા સમગ્ર શહેરે તહેવાર જેવી માહોલ અનુભવો છે.

સંકલ્પ અને સંસ્કૃતિથી સમૃદ્ધિ સુધી
ગુજરાતના સ્થાપના દિવસે માત્ર ઇતિહાસને યાદ કરવો પૂરતો નથી, પરંતુ ભવિષ્ય માટે નિશ્ચય કરવો પણ જરૂરી છે. આ દિવસે આપણે “વિકસિત ભારત”ના સપનાને સાકાર કરવા માટે સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસના પથ પર અવિરત યાત્રાને આગળ વધારવાનો સંકલ્પ લઈએ.

Related Posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદમાં નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જ

અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ👆

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *