આજનો દિવસ ઈરાન માટે ભયાનક: અમેરિકન સંરક્ષણ મંત્રીએ ધમકી આપી, ઈઝરાયલ પણ તૈયાર

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટર હેગસેથે અમેરિકાનો ઈઝરાયલ સાથેનો યુદ્ધ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. હેગસેથે કહ્યું કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો થશે. તેમણે જણાવ્યું કે, ઈરાને છેલ્લા 24 કલાકમાં જેટલી મિસાઈલો ફાયર કરી છે, તે યુદ્ધ શરૂ થયા બાદ સૌથી ઓછી છે. અમેરિકન સેનાના જનરલ ડૈન કેને કહ્યું કે ઈરાન વિરુદ્ધ અભિયાન આજે 11મા દિવસે પહોંચી ગયું છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂએ પણ ધમકી આપી છે કે, ‘અમે તેઓના હાડકાં તોડી રહ્યા છીએ.’ તેમનો ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તા પરથી દૂર કરવાનું છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી મુક્તિ મળે.

ઈરાનના પડોશી દેશોમાં તણાવ વધ્યો
યુદ્ધ બાદ ઇરાનના પડોશી દેશોમાં પણ તણાવ વધ્યો છે. કતરના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાન તરફથી આવતી એક મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને નાગરિકોને સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય કરી દીધી છે.

રશિયાની મધ્યસ્થીની તૈયારી
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રેમલિન અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી ગરમાવ્યું છે. રશિયાએ ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે. રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે પહેલા રશિયાએ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, રશિયા પોતાના ક્ષમતા મુજબ સહાય કરવા માટે તૈયાર છે, પરંતુ અનેક સમજૂતીઓ અને કરારોની જરૂર પડશે. સાથે જ, મધ્યસ્થી અને સદભાવના માટે અનેક વિકલ્પો પ્રસ્તાવિત થયા છે, જેમાંથી ઘણી વિચારાધીન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

દેશમાં LPG સંકટ વચ્ચે મોદી સરકારની કેબિનેટમાં 6 મોટા નિર્ણયો, જાણો વિગત

દેશમાં LPG સંકટની વચ્ચે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે કુલ છ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર મંજૂરી આપી છે. જેમાં જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી…

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થશે મોંઘી, ફ્યુઅલ સરચાર્જમાં કરાયો મોટો વધારો

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આ પ્રકારની ભૂગોળીય રાજકીય અસ્થિરતાના કારણે એરલાઈન કંપનીઓને ભારે અસર પડી રહી છે. આ સંજોગોમાં, એર ઇન્ડિયા ગ્રુપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ…