ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલું આખરે બંને પક્ષો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની દિશામાં નવો મોર્ચો ખોલી શકે છે.
શાંતિ કરારનાં મુખ્ય મુદ્દાં:
– બંધકોની મુક્તિ: હમાસ તરફથી રાખવામાં આવેલા તમામ ઇઝરાયલીઓ બંધકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. આમાં મહિલાઓ, બાળકો અને વયસ્કોનો સમાવેશ છે.
– ઇઝરાયલની પલટણોની પાછી ખેંચાણ: ઇઝરાયલ ગાઝાના કેટલીક સંવેદનશીલ વિસ્તારોમાંથી સૈનિકો હટાવશે.
– મુલભૂત સેવાઓની પુનઃસ્થાપના: ગાઝા માટે પાણી, વીજળી, તબીબી સેવાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પુનઃબાંધકામની મંજૂરી મળશે.
– પેલેસ્ટિનિયન કેદીઓની છૂટછાટ: ઇઝરાયલ પોતાના જેલોમાંથી અનેક પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
– 72 કલાકની અંદર અમલ: પહેલો તબક્કો આગામી 72 કલાકમાં અમલમાં આવશે.
ટ્રમ્પનું નિવેદન:
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે,”આ ઇતિહાસિક શાંતિ કરારનો પહેલો તબક્કો છે. બધાં બંધકો ટૂંક સમયમાં ઘેર પરત ફરશે. ઇઝરાયલ તેના સૈનિકોને નિયત સરહદ સુધી પાછા ખેંચશે. આ વિશ્વ માટે શાંતિ તરફનું મોટું પગલું છે.”
વૈશ્વિક પ્રતિસાદ:
કતાર, તુર્કી અને ઇજિપ્ત જેવા દેશોએ પણ આ મધ્યસ્થી પ્રક્રિયામાં સહયોગ આપ્યો છે. યુએન, યુરોપિયન યુનિયન અને વિશ્વના અનેક દેશોએ આ કરારને આવકાર્યો છે અને અસ્થાયી શાંતિને સ્થાયી બનાવવાની અપેક્ષા વ્યક્ત કરી છે.







