ગૌવંશ સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દાદાનું બુલડોઝર ફરશે

ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા.

રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે 54000 કિલો ગૌમાંસ અને 1800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે.

ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે.  રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે.

મંત્રીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, ગાય એ આપણી સંસ્કૃતિમાં માત્ર પશુ નથી, પરંતુ માતા સમાન પૂજનીય છે, જેમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. રાજ્ય સરકાર આવા ગુનાઓમાં કડકમાં કડક સજા અપાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરી રહી છે, જેથી આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે.

ગૌવંશ સંરક્ષણના કાયદા હેઠળ અમરેલી જિલ્લામાં થયેલી કડક કાર્યવાહી અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 12 ગુનાઓમાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં 3 આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને 3 આરોપીઓને 7 વર્ષની કેદની સજા કરવામાં આવી છે.  તદુપરાંત, આ આરોપીઓ પાસેથી કુલ રૂ. 42 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લામાં પોલીસની સતર્કતા અંગે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 8 ગુનાઓ દાખલ કરી 1940 કિલો ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 10 જેટલા ગૌવંશને બચાવી લેવાયા છે અને 28 આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. તદુપરાંત, મહીસાગર જિલ્લામાં કુલ 13 વાહનો પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, Sensational Record

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, કેપ્ટન બનતાની સાથે જ સફળ DRSથી જીત્યો દિલ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલા Vaibhav Suryavanshiએ માત્ર 15 વર્ષની ઉંમરે દુલીપ ટ્રોફીમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. 30 ઓગસ્ટ 2026ના રોજ સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ વૈભવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે મળેલી પહેલી જ તકમાં તેણે શાનદાર નિર્ણયશક્તિનો પરિચય આપ્યો અને તેનો પ્રથમ DRS નિર્ણય પણ સાચો સાબિત થયો.વૈભવની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે તે હજુ માત્ર 15 વર્ષનો છે અને સિનિયર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો અનુભવ પણ મર્યાદિત છે. તેમ છતાં, દબાણભરી પરિસ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરવું અને મહત્વપૂર્ણ…

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…