જૂનાગઢ, તા. ૧૦ — ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ ખાતે જિલ્લા પ્રશાસન તથા ભાજપના આગેવાનો દ્વારા ઉમળકાભેર અને ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવો સોમનાથ ખાતે આયોજિત ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા પધાર્યા હતા.
કેશોદ એરપોર્ટ પર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભેર આવકાર કર્યો હતો.

આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા તથા અન્ય સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.

સોમનાથ ખાતે યોજાનાર સ્વાભિમાન પર્વ અંતર્ગત ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહભાગી થવાના છે. આ પ્રસંગે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.
આ મુલાકાતને લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






