આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ

ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ માત્ર ‘વ્યૂ-ઓન્લી’ અથવા ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે જ કરી શકશે.

ઇન્સ્ટાગ્રામ પર લાઈક-કમેન્ટ પર પ્રતિબંધ
નવી ગાઈડલાઈન અનુસાર, આર્મીના સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, કમેન્ટ કે પોતાનું કન્ટેન્ટ શેર કરી શકશે નહીં. સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલાઇઝિંગ અથવા એક્ટિવ ભાગીદારી પર પ્રતિબંધ યથાવત રહેશે.

‘નિષ્ક્રિય ભાગીદારી’નો ઉદ્દેશ શું?
મીડિયા અહેવાલો મુજબ, ભારતીય સેના દ્વારા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોમાં ડિજિટલ જાગૃતિ વધારવાનો અને સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતીનું અવલોકન કરીને સુરક્ષાસંબંધિત ઇનપુટ એકત્રિત કરવાનો છે. સેના આ પ્રકારના ઉપયોગને ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે ઓળખાવે છે.

YouTube અને X (ટ્વિટર) માટે પણ સમાન નિયમ
ઇન્સ્ટાગ્રામ ઉપરાંત YouTube અને X (પૂર્વે ટ્વિટર) જેવા પ્લેટફોર્મ્સ પર પણ સૈનિકોને માત્ર કન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરવી, શેર કરવી અથવા પ્રતિક્રિયા આપવી મંજૂર નથી. જોકે, જો કોઈ ફર્જી, ભ્રામક અથવા શંકાસ્પદ પોસ્ટ નજરે પડે તો તેની માહિતી ઉપરી અધિકારીઓને આપી શકાશે.

અગાઉના નિયમો હતા વધુ કડક
ઉલ્લેખનીય છે કે 2019 સુધી ભારતીય સેનાના નિયમો અત્યંત કડક હતા અને સૈનિકોને કોઈપણ સોશિયલ મીડિયા ગ્રુપનો ભાગ બનવાની મંજૂરી નહોતી. બાદમાં 2020માં, સુરક્ષા કારણોસર સેના દ્વારા 89 મોબાઇલ એપ્લિકેશનો ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી હતી.

કેટલીક એપ્સને શરતો સાથે મંજૂરી
કડક નિયમો છતાં, ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ, X, LinkedIn અને ટેલિગ્રામ જેવી કેટલીક એપ્લિકેશનોનો ઉપયોગ શરતો અને દેખરેખ હેઠળ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સેના સમયાંતરે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરતી રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જનરલ નરવણેનું પબ્લીશ ન થયેલ પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું? ઉઠયા અનેક સવાલો

રાહુલ ગાંધીએ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મેળવ્યું? આ પ્રશ્ન 2026 માં રાજકારણ અને મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની”,…

અંક જ્યોતિષ/08 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…