આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં SAPTIની નોંધનીય ભૂમિકા, ડિસેમ્બર 2025 સુધીમાં સંસ્થામાંથી 674 ઉમેદવારો થયા સ્નાતક, કરે છે આટલી કમાણી

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત SAPTI એટલે કે સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના પથ્થર શિલ્પકળા ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસને વેગ આપી રહ્યું છે. આ સંસ્થા પથ્થરકલાના મૂલ્યવાન વારસાને જાળવવા સાથે યુવાનોને આત્મનિર્ભર બનાવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં, કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સ્થાપિત SAPTI સંસ્થા રાજ્યના શિલ્પકળા ઉદ્યોગની સંભાવનાઓનો ઉપયોગ કરે છે અને પથ્થરકલા અને શિલ્પ-સ્થાપત્યના મૂલ્યવાન વારસાને આગળ ધપાવે છે. રાજ્યમાં અંબાજી (બનાસકાંઠા જિલ્લો) અને ધ્રાંગધ્રા (સુરેન્દ્રનગર જિલ્લો) ખાતે- એમ બે આર્ટિઝન પાર્ક્સની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સ્થિત SAPTI-અંબાજી આરસના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સ્થિત SAPTI-ધ્રાંગધ્રા રેતી-પથ્થરના શિલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે SAPTI જેવી સંસ્થા સાંસ્કૃતિક ધરોહરને રોજગારના અવસરો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ
2022થી 2025 દરમિયાન SAPTIના બંને કેન્દ્રો પર 1,082 ઉમેદવારોની નોંધણી થઈ છે. 26 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 674 ઉમેદવારો આ સંસ્થામાંથી સ્નાતક થયા છે, જેમાં અંબાજી કેન્દ્રના 307 ઉમેદવારો અને ધ્રાંગધ્રા કેન્દ્રના 367 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડો ગુજરાતના શિલ્પ ઉદ્યોગ માટે કુશળ કાર્યબળ ઘડવામાં સંસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

મહિને કરે છે ₹40,000ની કમાણી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાન અક્ષય પિલાણી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ભારતીય પોલીસ અથવા આર્મીમાં જોડાવા માગતા હતા. આ દરમિયાન તેમને SAPTI-ધ્રાંગધ્રાના માધ્યમથી પથ્થર હસ્તકલા અને ડિઝાઇનમાં કારકિર્દીની તક વિશે જાણવા મળ્યું. સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમની કારકિર્દીને નવો વળાંક મળ્યો હતો. માળખાગત અને વ્યવહારૂ તાલીમ અને નિષ્ણાતોના માર્ગદર્શન દ્વારા અક્ષયે પથ્થરની કોતરણી, ચિત્રકામ, પ્રોડક્ટ ડિઝાઇન અને આધુનિક મશીનરીના ઉપયોગ સાથે પરંપરાગત કોતરણીની ટેકનિકમાં પણ નિપુણતા મેળવી.

કાર્યક્રમમાં તાલીમ ઉપરાંત, તેમણે સંબંધિત ઉદ્યોગના વ્યાવસાયિકો સાથે કામ કરીને વ્યવહારુ અનુભવ તો મેળવ્યો, સાથે નાણાકીય સહાય પણ મેળવી. ખેડૂત પરિવારમાંથી આવતા અક્ષય પિલાણીએ આજે એક નિષ્ણાત કારીગર તરીકેની ઓળખ સ્થાપિત કરી છે. તેમણે ચંડીગઢમાં બે મોટા સ્ટોન કાર્વિંગ (પથ્થરની કોતરણી) પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આજે તેઓ દર મહિને લગભગ ₹40,000 કમાય છે. તેમની આ સફરે અન્ય યુવાનોને પણ શિલ્પકળા પ્રત્યે આકર્ષિત કર્યા છે.

સદીઓ જૂની શિલ્પકળાને જાળવી રાખવામાં SAPTIની નોંધપાત્ર ભૂમિકા
SAPTIનો ઉદ્દેશ્ય કૌશલ્ય વિકાસ, શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને દેશની શિલ્પકલાને મજબૂત બનાવીને તેનું જતન કરવાનો છે. રોજગાર સર્જન ઉપરાંત, SAPTI ગુજરાતની સદીઓ જૂની પથ્થર કલા અને સ્થાપત્યના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંપરાગત તકનીકો, આધુનિક સાધનો અને વૈશ્વિક ડિઝાઇનના સમન્વય સાથે આ સંસ્થા શિલ્પકળાના વારસાને પુનર્જીવિત કરવાની સાથે તેને આધુનિક બજારો માટે સુસંગત બનાવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Food poisoning : નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Shock Ripple

નર્મદાની આશ્રમશાળામાં એકસાથે 11 બાળકો ધુણવા લાગ્યા, હોસ્પિટલ ખસેડાયા; Food poisoningની આશંકા નકારી Food poisoning : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસ્કુટ ગામની મહાત્મા ગાંધી આશ્રમશાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શાળા સમય પૂર્ણ થયા બાદ એક બાળક અચાનક ધુણવા લાગ્યું હતું. ત્યારબાદ તેને જોઈને એક પછી એક અન્ય બાળકોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. કુલ આશરે 11 બાળકો ધુણવા લાગતાં આશ્રમશાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં શાળા તંત્ર દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. -> એક બાળક બાદ બીજા બાળકોમાં પણ જોવા મળ્યા સમાન લક્ષણો : મળતી માહિતી પ્રમાણે ઘટના 9 સપ્ટેમ્બરે બની હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે તેની વિગતો હવે સામે આવી છે. શાળા પૂર્ણ થયા…

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? Joy Surge 2026

કિંજલ દવે મુંબઈમાં તો ઐશ્વર્યા Ahmedabadમાં ખેલૈયાઓને ડોલાવશે: આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી ક્યાં રમઝટ બોલાવશે? ગુજરાતમાં નવરાત્રિ 2026ને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Ahmedabad, સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જાણીતા ગરબા ગાયકોના કાર્યક્રમો યોજાવાના છે. આ વખતે ગુજરાતી સંગીત જગતના અનેક લોકપ્રિય કલાકારો અલગ-અલગ શહેરોમાં પોતાના સંગીતથી ખેલૈયાઓને ગરબે રમાડશે.નવરાત્રિ દરમિયાન કયો સિંગર ક્યાં પરફોર્મ કરશે તેને લઈને ગરબા રસિકોમાં ખાસ ઉત્સુકતા છે. ખાસ કરીને કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી જેવા જાણીતા નામો સાથે જોડાયેલા કાર્યક્રમો ચર્ચામાં છે. Ahmedabadમાં આ વખતે ઐશ્વર્યા મજમુદારનું ખાસ આકર્ષણ જોવા મળશે. ઉપલબ્ધ કાર્યક્રમની માહિતી મુજબ ઐશ્વર્યા મજમુદાર ‘રંગતાલી’ સાથે 11થી 20 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સ્વર્ણિમ…