ઉર્જા સપ્લાય સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે તૈયારીઓ તેજ કરી દીધી છે. સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આંતર-મંત્રાલય જૂથ (IGoM)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ઉર્જા સપ્લાય ચેઈન અને સંભવિત પડકારોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

સપ્લાય ચેઈન જાળવવા સરકાર સજ્જ
બેઠક બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, “ગભરાશો નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહો. સરકાર જીવનજરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા જાળવવા અને સપ્લાય ચેઈનમાં અવરોધ ન આવે તે માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.”

PM મોદીની ઊર્જા બચત અપીલનો ઉલ્લેખ
રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં દેશવાસીઓને ઇંધણ અને ઊર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વૈશ્વિક પડકારોના સમયમાં દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે. ઊર્જા બચત અને સંસાધનોનો જવાબદાર ઉપયોગ ભારતને વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.

શા માટે મહત્વપૂર્ણ છે આ બેઠક?
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર હોવાથી સરકાર માટે આંતરિક બજારમાં સ્થિરતા જાળવવી ખૂબ જરૂરી બની ગઈ છે. આ બેઠકમાં ઊર્જા મંત્રાલય સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી અને ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કિંમતો અને પુરવઠા પર સતત નજર
સરકાર હાલમાં પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને કિંમતો પર સતત નજર રાખી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ દેશમાં કોઈ તાત્કાલિક અછત જેવી સ્થિતિ નથી, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

લોકો માટે સરકારની અપીલ
કેન્દ્ર સરકારે લોકોને અનાવશ્યક ભંડાર એકત્ર ન કરવા, અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ઊર્જા બચતના પ્રયાસોમાં સહભાગી થવા અપીલ કરી છે. વૈશ્વિક તણાવ વચ્ચે જવાબદાર વપરાશ અને સચોટ માહિતી જ પરિસ્થિતિને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

 

 

  • Related Posts

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…

    ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

    ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…