પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, લેવામાં આવ્યા 6 મોટા નિર્ણયો

પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદ સુરક્ષા, સરકારી ભરતી, કેન્દ્ર સરકારની યોજનાઓ અને પ્રશાસનિક સુધારાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પાંચ મંત્રીઓ સાથે યોજાયેલી બેઠક બાદ રાજ્યમાં મોટા પ્રશાસનિક અને વિકાસલક્ષી ફેરફારોના સંકેત આપ્યા હતા.

બોર્ડર ફેન્સિંગ માટે જમીન ફાળવણી
કેબિનેટ બેઠકમાં બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર ફેન્સિંગ માટે જરૂરી જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને સોંપવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી. રાજ્યના ભૂમિ અને રાજસ્વ વિભાગ તેમજ મુખ્ય સચિવને આગામી 45 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

સરકારી ભરતીમાં વયમર્યાદામાં રાહત
લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકેલી હોવાના કારણે રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે અરજી કરવાની મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો ઉમેદવારોને રાહત મળશે તેવી સરકારની આશા છે.

નવા ફોજદારી કાયદાઓનો અમલ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે અગાઉની સરકારે ભારતીય ન્યાય સંહિતા (BNS) સહિતના નવા ફોજદારી કાયદાઓ અમલમાં મૂક્યા નહોતા. હવે રાજ્ય સરકારે આ નવા કાયદાઓને તાત્કાલિક અસરથી લાગુ કરવાની મંજૂરી આપી છે. સાથે જ કેન્દ્ર સરકારના જૂન 2025ના જનગણના સર્ક્યુલરને પણ અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.

ભાજપ કાર્યકરોને શ્રદ્ધાંજલિ
કેબિનેટ બેઠક દરમિયાન રાજકીય હિંસામાં મૃત્યુ પામેલા ભાજપના 321 કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરકારે તેમના પરિવારોના કલ્યાણ અને ન્યાય માટે તમામ જરૂરી પગલાં ભરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

કેન્દ્રની યોજનાઓને મળશે ગતિ
સરકારે રાજ્યમાં કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. તેમાં આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PM ફસલ બીમા યોજના, PM વિશ્વકર્મા અને ‘બેટી બચાવો, બેટી વાંચાવો’ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ઉજ્જ્વલા યોજનાના બાકી રહેલા પ્રકરણો પર પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

IAS-IPS અધિકારીઓને કેન્દ્રિય તાલીમ
પ્રશાસનિક સુધારાઓના ભાગરૂપે રાજ્યના IAS અને IPS અધિકારીઓને કેન્દ્ર સરકાર હેઠળ વિશેષ તાલીમ માટે મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ પગલાં રાજ્યમાં શાસન, સુરક્ષા અને કલ્યાણ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યા છે.

 

 

  • Related Posts

    વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

    વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ…

    સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

    પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સાથે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી છે. આ…