બેંગલુરુમાં વરસાદી કહેર: દીવાલ ધરાશાયી થતા 7નાં મોત, અનેક ઘાયલ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંગળવારે સાંજે શિવાજીનગર વિસ્તારમાં લેડી કર્ઝન હોસ્પિટલ નજીક એક કમ્પાઉન્ડની દીવાલ અચાનક ધરાશાયી થતાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે.

વરસાદ અને પવન વચ્ચે દુર્ઘટના
માહિતી મુજબ સાંજે લગભગ 5 વાગ્યે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જે લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. ખરાબ હવામાનથી બચવા માટે ઘણા લોકો હોસ્પિટલના પરિસરમાં આશરો લેવા ગયા હતા, ત્યારે જ દીવાલ તૂટી પડતાં તેઓ તેની ચપેટમાં આવી ગયા હતા.

બચાવ કામગીરી ચાલુ
આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે મૃતકોની સંખ્યા વધવાની ભીતિ છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે.

CM અને DyCMએ સ્થળની મુલાકાત લીધી
ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચનાઓ આપી અને ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજકીય પ્રતિક્રિયાઓ
આ દુર્ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સી.ટી. રવિએ મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરી અને સરકારને પીડિતોને તાત્કાલિક સહાય પર ધ્યાન આપવા જણાવ્યું.

વિસ્તારમાં ભયનો માહોલ
સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ઘટનાસ્થળે ચીસો અને અરેરાટી વચ્ચે પરિવારજનો રડતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.

 

 

  • Related Posts

    ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે સંપૂર્ણ પ્રતિબંધ

    ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા ઉત્પાદનો…

    ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો

    ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક વધી છે અને હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ આશરે 22 ટકા જેટલી સંગ્રહ ક્ષમતા ખાલી છે. આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના…