ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેકઠેકાણે વરસાદ પડી શકે છે.

તાજેતરમાં گزરી ગયેલા દિત્વાહ વાવાઝોડા બાદ રાજ્યના વાતાવરણમાં પહેલેથી જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ભરશિયાળે પડતા આ સંભાવિત માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધવા લાગી છે, કારણ કે પાકોના અંતિમ તબક્કામાં પડતો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.

હવામાન વિભાગ તરફથી સત્તાવાર આગાહી આવવાની બાકી છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ અઠવાડિયામાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ અસર રહેવાની શક્યતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી.…