PM મોદીએ તમિલનાડુને આપી મોટી ભેટ, દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. આ પુલ મુખ્ય ભૂમિને રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે. નવા પંબન રેલ બ્રિજના ઉદ્ઘાટનની સાથે, વડાપ્રધાન મોદીએ રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી છે.

700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા 2.08 કિમી લાંબા આ પુલમાં 99 સ્પાન છે. તેમાં અત્યાધુનિક 72.5 મીટર વર્ટિકલ લિફ્ટ સેક્શન છે. આ લિફ્ટ મિકેનિઝમ તેને 17 મીટર સુધી ઉંચુ કરવાની મંજૂરી આપે છે, જેનાથી જહાજો પસાર થઈ શકે છે. ઉપરાંત, ટ્રેનની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે છે. લગભગ 2 કિમી લાંબા આ દરિયાઈ પુલને સ્ટેનલેસ સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ, એન્ટી-કાટ પોલિસિલોક્સેન કોટિંગ અને સંપૂર્ણપણે વેલ્ડેડ સાંધાઓથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ લાંબા સમય સુધી ટકાઉ રહે છે. તેની જાળવણી પણ ન્યૂનતમ છે.

રોડ પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
આ પુલના ઉદ્ઘાટન પછી, વડાપ્રધાન મોદી પવિત્ર રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરવા માટે રામેશ્વરમ જશે. આ પછી, વડાપ્રધાન મોદી 8,300 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને તેમને રાષ્ટ્રને સમર્પિત કરશે.

અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો

રાષ્ટ્રીય હાઇવેનું વિસ્તરણ
આ વિકાસમાં મુખ્ય હાઇવે વિસ્તરણનો સમાવેશ થાય છે. આનો ઉદ્દેશ્ય તમિલનાડુમાં કનેક્ટિવિટી સુધારવાનો છે. NH-40, જે 28 કિમી લાંબા વાલાજાપેટ-રાનીપેટ સેક્શનને ચાર-લેન બનાવવાનો છે. NH-332, જે 29 કિમી લાંબા વિલુપ્પુરમ-પુડુચેરી સેક્શનનો ફોર-લાઇન માર્ગ છે. NH-32, જે 57 કિમી પુંડિયંકુપ્પમ – સટ્ટનાથપુરમ વિભાગ છે, તેને સમર્પિત કરવામાં આવશે. ચોલાપુરમ-તંજાવુર સેક્શન, જે 48 કિમી લાંબો છે, તેને સમર્પિત કરવામાં આવશે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *