પાકિસ્તાનનો આતંકી પ્રેમ ફરી ઉજાગર: ‘કાશ્મીર એકતા દિવસ’ પર PoKમાં UN-પ્રતિબંધિત આતંકીઓએ મંચ શોભાવ્યો

પાકિસ્તાન દ્વારા ઉજવાતા ‘કાશ્મીર એકતા દિવસ’ની આડમાં આતંકવાદને મળતું ખુલ્લું સમર્થન ફરી એકવાર દુનિયા સામે આવી ગયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં યોજાયેલી સત્તાવાર રેલીઓમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના ટોચના નેતાઓ ખુલ્લેઆમ મંચ પર નજરે પડ્યા હતા.

ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયર જેમાં જે આતંકીઓના નામો નોંધાયેલા છે, તે જ ચહેરાઓ પાકિસ્તાનની ધરતી પર ભારત વિરોધી ભાષણો આપતા જોવા મળ્યા છે.

જૈશ-એ-મોહમ્મદની ખુલ્લી રેલી
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીએ રાવલકોટમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સશસ્ત્ર આતંકવાદીઓ તેમજ સંગઠનના વરિષ્ઠ મૌલવીઓએ ભાગ લીધો હતો. મંચ પર મસૂદ અઝહરના નજીકના સંબંધીઓ અને કમાન્ડરો—મૌલાના અબ્દુલ મતીન, મુફ્તી મસૂદ ઇલ્યાસ અને સૈફુલ્લાહ મુજાહિદ—હાજર હતા. જૈશ-એ-મોહમ્મદ એ જ આતંકી સંગઠન છે, જે 2019ના પુલવામા આત્મઘાતી હુમલા માટે જવાબદાર છે, જેમાં 40થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા.

આતંકવાદને રાજ્યનો આશરો?
ભારતીય સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પાકિસ્તાન ‘કાશ્મીર એકતા દિવસ’નો ઉપયોગ કાશ્મીરીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા કરતાં વધુ આતંકવાદીઓની ભરતી, પ્રચાર અને તાલીમ માટે કરે છે. ભારતની ચાર્જશીટમાં વોન્ટેડ જાહેર કરાયેલા આતંકીઓ PoKમાં સુરક્ષા વચ્ચે જાહેર ભાષણો આપી રહ્યા છે, જે પાકિસ્તાનની નીતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદને પોતાની ‘સ્ટેટ પોલિસી’ તરીકે પ્રોત્સાહન આપી રહ્યું છે.

ભારતનું કડક વલણ
ભારતે અનેક વખત આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને અપાતા આશરા અંગે મજબૂત પુરાવા રજૂ કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ભંગ કરવા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સતત પ્રયાસશીલ રહ્યા છે.

એક તરફ પાકિસ્તાન FATF અને વૈશ્વિક સંસ્થાઓ સામે આતંકવાદ વિરોધી હોવાનો દેખાવો કરે છે, તો બીજી તરફ કાશ્મીરના નામે આતંકીઓને ખુલ્લેઆમ મંચ અને સુરક્ષા પૂરી પાડે છે. રાવલકોટની આ રેલીએ પાકિસ્તાનના આ દોઢમુખી ચહેરાને ફરી એકવાર દુનિયા સામે બેહાળ કરી દીધો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની…

10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ)…