ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ અને પઠાણકોટ સહિત અનેક શહેરો પર મિસાઇલોથી હુમલો કર્યો. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 એ મિસાઇલોને હવામાં જ તોડી પાડી. પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, શાહપુર, માધોપુર, ફિરોઝપુર, જેસલમેરમાં મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. હુમલો થતાં જ જમ્મુ સહિત તમામ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા, સમગ્ર વિસ્તાર તાત્કાલિક બ્લેકઆઉટ કરવામાં આવ્યો
હુમલા બાદ, ભારતીય લડાકુ વિમાનોએ જમ્મુ એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. જમ્મુ યુનિવર્સિટી નજીક બે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. ડ્રોન વિરોધી પ્રણાલીઓએ આરએસ પુરા, અર્નિયા, સાંબામાં પાકિસ્તાની મિસાઇલોને પણ તોડી પાડી છે. આ ઉપરાંત ભારતે પઠાણકોટ એરબેઝ પર ડ્રોન હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો છે.
જમ્મુ શહેરમાં મોબાઇલ નેટવર્ક પણ કામ કરી રહ્યા નથી. સતવારી કેમ્પ પર હુમલાના સમાચાર છે. બીજી તરફ, કુપવાડામાં પણ ભારે ગોળીબાર થયો છે. તંગધારમાં પણ ભારે મોર્ટાર ગોળીબાર થયો છે. તે જ સમયે, પૂંછ અને રાજૌરીમાં પણ ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






