OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે.

ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો.

પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.”

ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની દૈનિક હવાઈ વાહન વ્યવહાર પર પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

ટ્રમ્પનો દાવો: ભારત ઈરાનને બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, જાણો સમગ્ર વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે ભારત હવે ઈરાનને બદલે વેનેઝુએલા પાસેથી તેલ આયાત કરશે. ટ્રમ્પે દાવો કર્યો કે આ સોદો પહેલાથી જ અંતિમ સ્વરૂપ લઈ ચુક્યો છે, અને…

જો અમેરિકા હુમલો કરશે તો… ખામેનીએ આપી મોટી ધમકી

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે એક મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા દ્વારા ઈરાન પર કોઈપણ લશ્કરી હુમલો મધ્ય પૂર્વમાં ‘પ્રાદેશિક યુદ્ધ’…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *