કેરેબિયન ક્રૂઝ પર નોરોવાયરસનો ફેલાવો, 100થી વધુ લોકો બીમાર

વિશ્વ હજુ હંતાવાયરસના ખતરાને લઈને સતર્ક છે ત્યાં હવે નોરોવાયરસના વધતા કેસોએ આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા લક્ઝરી ક્રૂઝ શિપ ‘કેરેબિયન પ્રિન્સેસ’ પર નોરોવાયરસ ફેલાતા 115 લોકો બીમાર પડ્યા છે. અમેરિકાની આરોગ્ય એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) મુજબ, બીમાર થયેલા લોકોમાં 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાના લક્ષણો
CDCના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોને ગંભીર ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ક્રૂઝ શિપ 28 એપ્રિલે ફ્લોરિડાથી 13 દિવસની યાત્રા માટે નીકળ્યું હતું. જહાજ પર કુલ 3,116 મુસાફરો અને 1,131 ક્રૂ મેમ્બર્સ સવાર છે. જ્યારે બીમાર લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ ત્યારે ક્રૂઝ પ્રશાસને સત્તાવાર રીતે આરોગ્ય અધિકારીઓને જાણ કરી હતી.

જહાજ પર સેનિટાઈઝેશન વધારાયું
વાયરસ વધુ ન ફેલાય તે માટે જહાજ પર સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે 11 મેના રોજ પોર્ટ કેનાવેરલ પહોંચ્યા બાદ સમગ્ર જહાજને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા મુસાફરો સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શું છે નોરોવાયરસ?
નોરોવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં સોજો પેદા કરે છે. તે ખાસ કરીને દૂષિત ખોરાક, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ઝડપથી ફેલાય છે. વિશેષજ્ઞો મુજબ, ક્રૂઝ શિપ, હોટેલ, હોસ્ટેલ અથવા અન્ય બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં આ વાયરસ ઝડપથી પ્રસરવાની શક્યતા વધારે રહે છે.

મુસાફરોને સાવચેત રહેવાની સલાહ
આરોગ્ય અધિકારીઓએ મુસાફરોને વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત તબીબી મદદ લેવા અપીલ કરી છે.

 

 

  • Related Posts

    શું તમે વરસાદ માટે તૈયાર છો? ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મેઘમહેરની આગાહી!

    ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ: હવામાન વિભાગની આગાહી, આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું ‘એલર્ટ’! અમદાવાદ: ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં…

    આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

    ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…