કેરેબિયન ક્રૂઝ પર નોરોવાયરસનો ફેલાવો, 100થી વધુ લોકો બીમાર

વિશ્વ હજુ હંતાવાયરસના ખતરાને લઈને સતર્ક છે ત્યાં હવે નોરોવાયરસના વધતા કેસોએ આરોગ્ય એજન્સીઓની ચિંતા વધારી છે. અમેરિકાના ફ્લોરિડાથી રવાના થયેલા લક્ઝરી ક્રૂઝ શિપ ‘કેરેબિયન પ્રિન્સેસ’ પર નોરોવાયરસ ફેલાતા 115 લોકો બીમાર પડ્યા છે. અમેરિકાની આરોગ્ય એજન્સી CDC (સેન્ટર્સ ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન) મુજબ, બીમાર થયેલા લોકોમાં 102 મુસાફરો અને 13 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.

ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાના લક્ષણો
CDCના જણાવ્યા અનુસાર સંક્રમિત લોકોને ગંભીર ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ક્રૂઝ શિપ 28 એપ્રિલે ફ્લોરિડાથી 13 દિવસની યાત્રા માટે નીકળ્યું હતું. જહાજ પર કુલ 3,116 મુસાફરો અને 1,131 ક્રૂ મેમ્બર્સ સવાર છે. જ્યારે બીમાર લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદાથી વધી ગઈ ત્યારે ક્રૂઝ પ્રશાસને સત્તાવાર રીતે આરોગ્ય અધિકારીઓને જાણ કરી હતી.

જહાજ પર સેનિટાઈઝેશન વધારાયું
વાયરસ વધુ ન ફેલાય તે માટે જહાજ પર સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે 11 મેના રોજ પોર્ટ કેનાવેરલ પહોંચ્યા બાદ સમગ્ર જહાજને સંપૂર્ણ રીતે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘણા મુસાફરો સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે અને હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શું છે નોરોવાયરસ?
નોરોવાયરસ એક અત્યંત ચેપી વાયરસ છે જે પેટ અને આંતરડામાં સોજો પેદા કરે છે. તે ખાસ કરીને દૂષિત ખોરાક, પાણી અથવા સંક્રમિત વ્યક્તિના સંપર્કથી ઝડપથી ફેલાય છે. વિશેષજ્ઞો મુજબ, ક્રૂઝ શિપ, હોટેલ, હોસ્ટેલ અથવા અન્ય બંધ અને ભીડભાડવાળી જગ્યાઓમાં આ વાયરસ ઝડપથી પ્રસરવાની શક્યતા વધારે રહે છે.

મુસાફરોને સાવચેત રહેવાની સલાહ
આરોગ્ય અધિકારીઓએ મુસાફરોને વારંવાર હાથ ધોવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ દેખાય તો તરત તબીબી મદદ લેવા અપીલ કરી છે.

 

 

  • Related Posts

    CBSE ધોરણ-12 સપ્લીમેન્ટરી પરીક્ષા 2026નું પરિણામ જાહેર, 53.08% વિદ્યાર્થીઓ સફળ

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ-12ની સપ્લીમેન્ટરી/કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 2026નું પરિણામ આજે, 12 ઓગસ્ટ 2026, જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ પરીક્ષામાં બેઠેલા હજારો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે પોતાનું પરિણામ અને માર્કશીટ ઓનલાઈન ચકાસી શકે છે. CBSEએ પરિણામ માટે પોતાની સત્તાવાર વેબસાઇટ્સ ઉપરાંત DigiLocker જેવી ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. CBSE માં 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા CBSEના આંકડા અનુસાર, ધોરણ-12ની સપ્લીમેન્ટરી પરીક્ષા માટે કુલ 2,91,576 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 2,75,287 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષામાં બે મુખ્ય કેટેગરીના વિદ્યાર્થીઓ સામેલ હતા. તેમાં 1,64,231 વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ કેટેગરી હેઠળ પરીક્ષા આપી રહ્યા હતા, જ્યારે 1,11,056 વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સમાં સુધારો કરવા માટે ઈમ્પ્રૂવમેન્ટ પરીક્ષા આપી હતી. CBSE માં…

    NEET મુદ્દે સંસદમાં ઘમાસાણ: કિરેન રિજિજુનો વિપક્ષ પર ગંભીર આક્ષેપ, અમિત શાહ ચર્ચા માટે તૈયાર

    NEET પરીક્ષા સાથે જોડાયેલા વિવાદ, કથિત પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી જેવા મુદ્દાઓને લઈને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેનો ટકરાવ યથાવત્ છે. વિપક્ષ આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે તે સંસદમાં આ મુદ્દે ખુલ્લી અને વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પર ચર્ચાથી દૂર ભાગવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પોતાના લાંબા રાજકીય જીવનમાં તેમણે આવી સ્થિતિ પહેલીવાર જોઈ છે, જેમાં સરકાર પોતે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચા કરવા તૈયાર નથી. ‘હું ખૂબ નિરાશ છું’ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકાર NEET પરીક્ષા…