અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોની સુવિધામાં સુધારો લાવવા માટે એક વધુ મહત્વપૂર્ણ પગલું લીધું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર નવી અત્યાધુનિક AC પ્રતિક્ષાલય (વેઈટિંગ રૂમ) શરૂ કરવામાં આવ્યું છે, જે એક સાથે 250થી વધુ મુસાફરોને રાખી શકે છે.
મુસાફરો માટે આધુનિક સુવિધાઓ
આ નવી AC પ્રતિક્ષાલયમાં મુસાફરોને આરામદાયક અનુભવ મળે તે માટે અનેક સુવિધાઓ સામેલ છે:
– બેબી કેર રૂમ – નાના બાળકો સાથે મુસાફરી કરનાર માતાઓ માટે ખાસ વ્યવસ્થા
– ગરમ પાણીની સવલત
– મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ
– નાસ્તા અને રિફ્રેશમેન્ટ માટે સ્ટોલ
– ટોયલેટ અને બાથરૂમ
– દિવ્યાંગો માટે ખાસ સુવિધા ધરાવતા વૉશરૂમ્સ
– હોટલ અને કેબ બુકિંગ માટે હેલ્પ ડેસ્ક
– આ પ્રતિક્ષાલય 24 કલાક ખુલ્લું રહેશે.
સુવિધાઓનો ચાર્જ
– વયસ્કો માટે: ₹20 પ્રતિ કલાક
– બાળકો માટે: ₹10 પ્રતિ કલાક
સ્ત્રી–પુરુષ, વડીલો અને દિવ્યાંગો સહિત તમામ મુસાફરો માટે સુવિધા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે રાહ જોવાની ક્ષણો પણ આરામદાયક બની રહે.
રેલવેની સતત સુધારા યાત્રા
ભારતીય રેલવે છેલ્લા કેટલાક સમયથી સ્ટેશનો પર મુસાફરોની સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરી રહ્યું છે. આ નવા AC પ્રતિક્ષાલયથી મુસાફરોને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર અનુભવ પ્રાપ્ત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






