કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય

રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં
સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા છત તૂટી પડવાને કારણે ઘટી હોવાનું સૂત્રોએ જણાવ્યું.

કેરી અને ડાંગર સહિતના પાકને મોટું નુકસાન થવાની ભીતિ
જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, અને વલસાડ જિલ્લામાં હાલમાં કેરીનો પાક પૂરતા પ્રમાણમાં પક્વ થઈ ચૂક્યો છે. આવા સમયમાં પડેલા કરા અને પવનથી કેરી સહિતના પાકને ગંભીર નુકસાન થવાની આશંકા છે. ખાસ કરીને કેરીના પાકમાં ફળો બગડી જવાની, ડાંગર, શાકભાજી અને અન્ય હૂંફાળું પાકને નુકશાન જવાની સ્થિતિ પેદા થઇ છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સરકાર તરફથી સહાયની માંગ પણ તેજ બની છે.

આજનું હવામાન એલર્ટ
હવામાન વિભાગ અનુસાર આજે જેથાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં મુખ્ય જિલ્લાઓ છે, કચ્છ, બનાસકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, અરવલ્લી, અમદાવાદ, વડોદરા અને મહીસાગર આ વિસ્તારોમાં ભારે પવનની સાથે કરા પડવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *