રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના નિવેદન મુજબ, જામનગર સ્થિત રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં LPGનું ઉત્પાદન વધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. જામનગરને વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ રિફાઈનિંગ હબ ગણવામાં આવે છે.
રિલાયન્સની ટીમો 24 કલાક કામગીરી પર
કંપનીએ જણાવ્યું કે રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરશે જેથી રિફાઈનરી ઓપરેશન્સ વધુ કાર્યક્ષમ બની શકે. મુખ્ય હેતુ ઘરેલુ બજારમાં LPG પુરવઠો સ્થિર અને વિશ્વસનીય બનાવવાનો છે. સાથે સાથે, ક્રિષ્ના-ગોદાવરી બાસીનમાંથી ઉત્પન્ન થતો નેચરલ ગેસ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવશે.
સરકારની માર્ગદર્શિકા અનુસાર ગેસ ફાળવણી
રિલાયન્સે જણાવ્યું કે કંપની ભારત સરકાર સાથે નજીકથી સંકલન કરી રહી છે અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અને ગેસ ફાળવણી નિયમોનું પાલન કરશે. કંપનીનો ઉદ્દેશ એ છે કે દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સમાજના તમામ વર્ગો સુધી ઊર્જા પુરવઠો સરળતાથી પહોંચે. રિલાયન્સ ભવિષ્યમાં પણ સરકાર સાથે સહયોગ કરીને ઊર્જા સુરક્ષા અને પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





