ગુજરાતમાં પવન, વીજળી, કરા સાથે મેઘરાજાનું તાંંડવ!

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે અચાનક આવેલા વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદે લોકો અને ખેડૂતો બંનેને અજંપામાં મૂકી દીધા. રાજયના ચોટીલા, કચ્છ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભાવનગર, અને બોટાદ જેવા શહેરોમાં એક સાથે પવન, કરા, અને ધૂળભરી આંધીનો અનુભવ થયો.

 

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે હોર્ડિંગ પડવાની ઘટના બની છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલને પણ નુકસાન થયું હતું

 

અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, શહેરમાં સાંજના સમયે મિનિ વાવાઝોડાની માફક ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. બોપલ વિસ્તારમાં ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણ અચાનક પલટાયું હતું. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.

 

કચ્છમાં વાસણો ભરાય તેટલા કરા:- કચ્છના કેટલાક વિસ્તારોમાં તો કરા એટલા વરસ્યા કે વાસણો પણ ઓછી પડી જાય એવી સ્થિતિ બની. કરા સાથેનો આ વરસાદ ખેડૂતો માટે શાપ સમાન સાબિત થયો છે કારણ કે પાકને નુકસાનની દહેશત ઉભી થઈ છે.

 

ચોટીલામાં રસ્તા પાણી પાણી:- ચોટીલામાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. પાણીની સાથે કરા પડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

 

રાજકોટમાં દિવસે પણ વાહન લાઇટ ચાલુ કરવી પડી:- રાજકોટના યાજ્ઞિક રોડ, રેસકોર્સ, અને નાનામૌવા વિસ્તારમાં વરસાદ અને પવનના કારણે ટ્રાફિક ઠપ થવાના હાલત સર્જાઈ. દ્રશ્યતા એટલી ઘટી ગઈ કે વાહનચાલકોને દિવસે પણ લાઇટ ચાલુ રાખવી પડી.

 

વડોદરામાં ઝાડ પડી ગયા, લોકોનું રેસ્ક્યૂ:- કારેલીબાગ વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતાં ચાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદના દ્રશ્યોએ અંધારપટ સર્જી દીધો.

 

બોટાદમાં હોર્ડિંગ ધરાશાયી, લોકો દોડ્યા બચવા:- ભાવનગર રોડ પર ભારે પવનના કારણે એક મહાકાય હોર્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

 

ખંભાત, રાપર અને અન્ય વિસ્તારમાં ધૂળના વંટોળ અને પાકનું નુકસાન:- ખંભાતમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો તો રાપર તાલુકાના ધોળાવીરા સહિતના વિસ્તારોમાં કરાના વરસાદથી ખેડૂતો પાક સુરક્ષા અંગે ચિંતિત થયા.

 

હવામાન વિભાગે આગાહી કરી હતી:-આમ જાણકાર હવામાન વિભાગે આ પલટાની આગાહી પહેલેથી જ આપી હતી. પરંતુ જે રીતે પવન, કરા, અને વરસાદે ત્રાસ આપ્યો છે, તે ખરેખર અષાઢી સીઝનની યાદ અપાવે છે — એ પણ વૈશાખમાં!

  • Related Posts

    ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક 13 પર પહોંચ્યો, 61 અસરગ્રસ્ત; 10ની હાલત ગંભીર

    ભાવનગર જિલ્લાના ખારકડી ગામમાં સામે આવેલા નકલી દારૂકાંડની ગંભીરતા સતત વધી રહી છે. ઝેરી દારૂ પીધા બાદ સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓના મોત થતાં 23 ઓગસ્ટ 2026 સુધીમાં મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. મૃતકોમાં મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં આશરે 61 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. વધુ બે દર્દીઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો મળતી માહિતી પ્રમાણે મૂળ મહીસાગર જિલ્લાના મુકેશ ડામોરની ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબિયત વધુ ગંભીર બનતા તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.…

    સુરત : ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રી લાલઘૂમ, સસ્તા ઘી અને ખાણી-પીણીને લઈને આપી કડક ચેતવણી

    સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની અપીલ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા તત્વોને કડક ચેતવણી આપી હતી. મંત્રીએ ખાસ કરીને બજારમાં મળતા સસ્તા ઘી અને અન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. પાનસેરિયાએ કહ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ માત્ર ગ્રાહકો સાથે છેતરપિંડી નથી, પરંતુ તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. બજારમાં સસ્તા ભાવે મળતી કેટલીક વસ્તુઓની ગુણવત્તા અંગે ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘી જેવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, લેબલ અને વિશ્વસનીયતા ચકાસવી જોઈએ. સુમુલ કરતાં પણ સસ્તા ઘી અંગે ચેતવણી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *