ડી-કેબિનમાં મેગા ડિમોલિશન, આઈ.પી. મિશન સ્કૂલનું દબાણ તૂટ્યું; ₹8,600 વહીવટી દંડ વસૂલ

– પશ્ચિમ ઝોનમાં AMCનો બુલડોઝર મોડ યથાવત

ચાંદખેડાથી પાલડી સુધી ટી.પી. રોડ ખુલ્લા કરાયા, લારીઓ-કાઉન્ટર-બોર્ડ સહિત 145થી વધુ સામાન જપ્ત

પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં શુક્રવારે હાથ ધરાયેલી મેગા દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ડી-કેબિન વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (પશ્ચિમ ઝોન)ની સીધી દેખરેખ હેઠળ ચાલેલી આ ડ્રાઇવમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી જાણીતી આઈ.પી. મિશન સ્કૂલ દ્વારા ટી.પી. રોડ પર કરવામાં આવેલા દબાણનો પણ ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. AMCએ સમગ્ર અભિયાન દરમિયાન કુલ ₹8,600નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

AMCની મેગા ડ્રાઇવ એક નજરે
– કુલ 10 લારી/કાઉન્ટર જપ્ત
– 134 બોર્ડ-બેનર-સ્ટીકર દૂર
– 145 પરચુરણ સામાન જપ્ત
– 3 વાંસવળી જપ્ત
– ₹8,600 વહીવટી ચાર્જ વસૂલ
– ચાંદખેડા, રાણીપ, નારણપુરા, પાલડી અને સ્ટેડિયમ વિસ્તારમાં કાર્યવાહી
– ટી.પી. રોડ અને જાહેર માર્ગો દબાણમુક્ત કરાયા

પશ્ચિમ ઝોનમાં ક્યાં શું તૂટ્યું?

ચાંદખેડા વોર્ડમાં વિસતથી ઝુંડાલ સુધીના આઇકોનિક રોડ પર આવેલા 2 રહેણાંક, 3 કોમર્શિયલ અને 1 ધાર્મિક દબાણ દૂર કરી ટી.પી. મુજબનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાળીનાથ ચોકથી IOC રોડ સુધી દબાણ રાઉન્ડ લઈ 3 લારીઓ, 1 ટેમ્પો અને 32 જેટલો પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ટી.પી. સ્કીમ નં. 20 હેઠળ કરવામાં આવી, જ્યાં વાળીનાથ ચોકથી રેલવે લાઇન સુધીના 18 મીટરના ટી.પી. રોડ પર આવેલા આઈ.પી. મિશન સ્કૂલના દબાણનો ભાગ દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો હતો.

નારણપુરા વિસ્તારમાં અખબારનગર અન્ડરપાસથી રન્ના પાર્ક સુધી જાહેર રોડ પરના ગેરકાયદેસર દબાણો સામે અભિયાન હાથ ધરાયું હતું. અહીંથી 3 સાદી લારીઓ, 2 ડેડ ફોર વ્હીલર, 15 કેરેટ અને 120 બોર્ડ-બેનર દૂર કરવામાં આવ્યા હતા. પાલડી વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાલક્ષ્મી ચાર રસ્તાથી સુવિધા ચાર રસ્તા સુધી રોડ સાઇડ દબાણો સામે કાર્યવાહી કરી કાઉન્ટર અને લારીઓ જપ્ત કરાઈ હતી. જ્યારે સ્ટેડિયમ વિસ્તારમાં ઇન્કમટેક્સથી વાડજ સર્કલ અને આર.ટી.ઓ. સુધીના પટ્ટામાંથી સોફા, લાકડાના કબાટ અને અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

“ઝીરો ટોલરન્સ”નો સંદેશ

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ ટી.પી. રોડ, જાહેર માર્ગ અને ટ્રાફિક અવરજવર પર અસર કરતા દબાણો સામે હવે “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે રોડ ખુલ્લા થતા ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને જાહેર સુવિધાઓમાં સુધારો થશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ પશ્ચિમ ઝોન સહિત શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

 

 

 

  • Related Posts

    Janmashtami: જગતના નાથનો જન્મોત્સવ: કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર પાછળ શું છે રહસ્ય? જાણો પૂજા વિધિ-મંત્રો

    ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…’ આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસને Janmashtami તરીકે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વિશેષ શણગાર, ભજન-કીર્તન, પૂજા અને મધરાત્રિના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમની બાળલીલા, ગીતા ઉપદેશ અને ધર્મની સ્થાપનાની કથાઓ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. Janmashtamiના દિવસે ભક્તો ઉપવાસ રાખીને મધરાત્રે કાનુડાની પૂજા કરે છે. Janmashtamiની પૂજાનું મુહૂર્ત Janmashtamiની પૂજા માટે મધરાત્રિનો સમય સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાત્રિએ થયો હતો. ઘણા ભક્તો દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગ્યે…

    Dwarka Janmashtami 2026, દ્વારકા જન્માષ્ટમી, Spectacular દ્વારકાધીશ મંદિર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, Janmashtami Celebration Dwarka

    Dwarka માં આજે જન્માષ્ટમીનો મહોત્સવ: દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનો ઘસારો, મધરાત્રે થશે શ્રીકૃષ્ણ જન્મોત્સવ Dwarka , 4 સપ્ટેમ્બર 2026: ભગવાન શ્રીકૃષ્ણની નગરી Dwarka માં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા છે અને સમગ્ર દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ છે. 2026માં જન્માષ્ટમીનો મુખ્ય પર્વ શુક્રવાર, 4 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે. ->દ્વારકાધીશ મંદિરને ભવ્ય શણગાર : જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિરને રોશની અને ફૂલો સહિતના શણગારથી સજાવવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dwarka ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું પવિત્ર યાત્રાધામ છે અને ચાર ધામ પૈકીનું એક માનવામાં આવે…