નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું કારણ કે દેવીએ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી — ‘કૂષ્મા’ એટલે ‘ઉર્જા’ અને ‘આંડા’ એટલે ‘બ્રહ્માંડ’.
દેવીઓમાં “સૂર્યરૂપા”
માતા કૂષ્માંડા સૂર્યમંડળની અંદર નિવાસ કરનારી છે — એવું કહેવાય છે કે માત્ર ઇમનાજ એવી શક્તિ છે જે સૂર્યના તીવ્ર તાપને સહન કરી શકે છે. દેવીએ બ્રહ્માંડની રચના કરતા પહેલાં ચારેય બાજુ અંધકાર હતો, અને તેમની મંદ મલકાવટથી આખું બ્રહ્માંડ પ્રકાશિત થયું.
પૂજા વિધિ
કળશ સ્થાપના અને તેમાં દેવીઓને આવાહન કરો.
માટીના ઘાણાંમાં જ્વાર વાવવો.
માતા દુર્ગાની મૂર્તિ કે ચિત્રની સામે દીવો પ્રગટાવો.
તાંબામાં જળ લઈને સંકલ્પ કરો – “હું માતા કૂષ્માંડાની ભક્તિ અને પૂજા કરું છું”.
પૂજા સામગ્રીથી પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો.
માલપુવા અથવા કોળાનો પેઠો માતાને ભોગ રૂપે અર્પણ કરો.
કૂષ્માંડા દેવીની કથા સાંભળો અને મંત્રનો જાપ કરો.
અંતે આરતી ઉતારવી.
કૂષ્માંડા દેવીના મંત્ર
શ્લોક:
या देवी सर्वभूतेषु मां कूष्मांडा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
ધ્યાન મંત્ર:
वन्दे वांछित कामर्थे चन्द्रार्घकृत शेखराम्।
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्वनीम्॥
વ્રત કથા
પૌરાણિક કથા મુજબ, જ્યારે સૃષ્ટીનું અસ્તિત્વ નહોતું, ત્યારે અંધકાર છવાયો હતો. ત્યારે દેવી કૂષ્માંડા તેમના ઈષ્ત હાસ્ય દ્વારા બ્રહ્માંડની રચના કરે છે. તેમનું રૂપ અષ્ટભુજા ધરાવતું છે – જેમાં કમંડલ, ધનુષ, બાણ, કમળ, અમૃતનો કળશ, ચક્ર, ગદા અને જપમાળા છે. માતા કૂષ્માંડા જીવનમાં પ્રકાશ, આયુષ્ય, આરોગ્ય અને શાંતિ લાવે છે. તેમની ભક્તિથી રોગોનો નાશ, યશની વૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે.
આરતી
कूष्मांडा जय जग सुखदानी।मुझ पर दया करो महारानी॥
पिगंला ज्वालामुखी निराली।शाकंबरी माँ भोली भाली॥
लाखों नाम निराले तेरे ।भक्त कई मतवाले तेरे॥
भीमा पर्वत पर है डेरा।स्वीकारो प्रणाम ये मेरा॥
सबकी सुनती हो जगदंबे।सुख पहुँचती हो माँ अंबे॥
तेरे दर्शन का मैं प्यासा।पूर्ण कर दो मेरी आशा॥
माँ के मन में ममता भारी।क्यों ना सुनेगी अरज हमारी॥
तेरे दर पर किया है डेरा।दूर करो माँ संकट मेरा॥
मेरे कारज पूरे कर दो।मेरे तुम भंडारे भर दो॥
तेरा दास तुझे ही ध्याए।भक्त तेरे दर शीश झुकाए॥
આ આરતી ગાઈને ભક્ત માતાની કૃપા મેળવવા તત્પર થાય છે.
શા માટે આજે ખાસ મહત્વ છે?
2025માં ચોથું નોરતુ 25 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે. આ દિવસે માતાના આશીર્વાદથી દૈહિક, માનસિક અને આત્મિક તકલીફો દૂર થાય છે. સાથે સાથે આયુષ્ય અને ધન્યતા પ્રાપ્ત થાય છે.
માતા કૂષ્માંડા ભક્તિ, શક્તિ અને પ્રકાશનું પ્રતિક છે. નવરાત્રીના ચોથા દિવસે તેમની ઉપાસના કરવી જીવનમાં નવી ઊર્જા અને સુખદ પરિબળો લાવે છે. માતાની કૃપાથી દરેક કષ્ટો દૂર થાય છે અને ભક્તને મળી છે દિવ્ય શાંતિ.








